गुजरात

મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The municipal administration has done nothing



     

  અમદાવાદ,ગુરુવાર,30 એપ્રિલ, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૨ હજારથી વધુ કર્મચારી
અને અધિકારી ફરજ બજાવે છે.આમ છતાં લોકો ઉપર ખાણીપીણીના એકમ તરફથી પીરસવામા આવતી
ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા કયુ.આર.કોડ.ના નામે જવાબદારી નાંખી દઈ હેલ્થ વિભાગ
દ્વારા હાથ અધ્ધર કરી દેવામા આવ્યા છે.લોકોએ ખાદ્યચીજ ખાવાની સાથે રીસ્પોન્સ ફીડબેક
આપવો પડશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોકટર તેજસ શાહે
કહ્યુ
,ખાણીપીણી
એકમ તરફથી લોકને આપવામા આવતી ખાદ્યચીજોની ગુણવત્તા કેવી છે તે અંગે લોકો તરફથી
રીસ્પોન્સ ફીડ બેક મેળવવામા આવશે. આ માટેની શરુઆત પાણીપુરીની લારીઓથી કરવામા આવશે.
શહેરમાં પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા આ અગાઉ પાણીપુરીની લારીઓ ઉપરથી પાણી
ઉપરાંત બટકા
,ચણાના
માવા સહિતના કુલ ૧૬૦૦ સેમ્પલ તપાસ માટે લેવામા આવ્યા હતા.શહેરમાં પાણીપુરી
વેચનારાઓની સંખ્યા ૧૫૦૦થી વધુ છે. આ તમામ હાઈજીન કન્ડીશનમાં પાણીપુરી વેચે તે માટે
દરેક લારીઓ ઉપર કયુ.આર.કોડ. જનરેટ કરવામા આવશે.આ કોડની મદદથી પાણીપુરી ખાવા જનારા
લોકો પાણીપુરીનુ પાણી કેવુ હતુ તે અંગે તેમનો અભિપ્રાય આપી શકે એ માટે સોફટવેર
ડેવલપ કરવામા આવશે.જે પછી સમગ્ર શહેરમાં જેટલા પણ ખાણીપીણીના એકમ આવેલા છે.તે
તમામને કયુ.આર.કોડ સિસ્ટમ હેઠળ આવરી લેવામા આવશે.નોંધપાત્ર બાબત એ છે કે
,કોઈપણ નાગરિક
ખાણીપીણીના એકમ ઉપર ખાવા જાય ત્યારે તે ખાવાની 
બાબતને પ્રાધાન્ય આપે કે પછી પાણી કેવુ છે એની ગુણવત્તા ચકાસીને
મ્યુનિ.આરોગ્ય વિભાગને ફીડબેક આપે. હેલ્થ વિભાગના આ ગતકડા સામે લોકોમાં રોષ જોવા
મળી રહયો છે.



Source link

Related Articles

Back to top button