એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Ashantdhara

![]()
અમદાવાદ, ગુરુવાર
શાહીબાગમાં સબ રજીસ્ટ્રાર કચેરીમાં મિલ્કતની નોંધણી કરાવવા માટે સરકારના નિયમોને નેવે મૂકી બોગસ દસ્તાવેજો રજૂ કરાતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખાસ કરીને નરોડા હંસપુરા વિસ્તાર અશાંતધારામાં આવતો જ નથી તેમ છતા મિલકત માટે અશાંતધારાની ખોટી અને ફેબ્રિકેટેડ પરમિશન બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે સબ રજીસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર એલ.એલ.બીના વિદ્યાર્થી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નરોડામાં અશાંત ધોરો લાગુ ન હોવાથી શંકા ગઇ ક્યુંઆર કોડ સ્ક્રેન કરતા ડેટા ન મળતા ભાંડો ફૂટયો
શાહીબાગ પોલીસ સ્ટેશનનના પીઆઇ,જે.એચ.સિંધવના જણાવ્યા મુજબ આ મિલકતમાં સરકારનું અશાંતધારાનું જાહેરનામું અમલી ન હોવા છતાં દસ્તાવેજ સાથે સીટી ડેપ્યુટી કલેક્ટર (ઈસ્ટ)ની કથિત મંજૂરીનો પત્ર જોડવામાં આવ્યો હતો. તત્કાલીન સબ રજીસ્ટ્રાર આશિષકુમારે આ પરમિશનના લખાણ ઉપર શંકા જતાં તેમણે પત્ર પર રહેલો ક્યુઆર કોડ સ્કેન કર્યો હતો. સ્કેનિંગ કરતા કોઈ જ ડેટા મળી આવ્યા ન હતા. જેથી રજુ કરેલા પત્ર ફેબ્રિકેટેડ સાબિત થયો હતો. આરોપીએ દસ્તાવેજ તૈયાર કરવા માટે રૃા. ૧.૫૭ લાખ ઓનલાઈન મેળવ્યા હતા.



