गुजरात

‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chaitar Vasava’s Statement On BJP in Naswadi Chhota Udepur


Chaitar Vasava’s On BJP: છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રાયપુર ખાતે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જેમાં રાયપુર ખાતે સભા સંબોધતા ચૈતર વસાવાએ કહ્યું કે, ‘ચૂંટણીમાં ભાજપના નેતાઓ પૈસા લઈને આવે ત્યારે તેઓના પૈસા લઈ લેજો, પરંતુ તેઓને મત આપતા નહીં. તેઓ ખેતી કરીને પૈસા લાવ્યા નથી, ભ્રષ્ટાચારના પૈસા છે.’

નસવાડીમાં ચૈતર વસાવાના ભાજપ પર આકરા પ્રહાર

આ ઉપરાંત, વસાવાએ ભાજપના નેતાઓને મંચ ઉપરથી ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, ‘પાળિયા અને ધારીયા લઈને જે દિવસે ગાંધીનગર પહોંચીશું, ત્યારે તમારી પોલીસ પણ બચાવી નહીં શકે. જ્યારે હાઈડ્રો પ્રોજેક્ટના ગામોમાં જમીન લેવા માટે પોલીસ અને એસઆરપી આવે તો ઘરોમાં મૂકેલા ધારિયા અને તીર કામઠા લઈને નીકળીશું, ત્યારે પોલીસ અને એસઆરપી પણ ભાગી જશે. જ્યારે પોલીસ ખાખી વર્દી ઉતારીને ખેસ પહેરીને આવે તો આદિવાસી સમાજ શું છે તે બતાવી દઈશું.’

'AAPની સભામાં ગયા તો રાશન બંધ!' ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- 'સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે' 2 - image

ભાજપના લોકો પૈસા કમાવવા ચૂંટણી લડે છે, ભ્રષ્ટાચારના નાણા ભેગા કરે છે…: ચૈતર વસાવા

વધુમાં વસાવાએ કહ્યું કે, ‘ભાજપના લોકોને પૂછજો કે, ચૂંટણી કેમ લડવા માગે છે. ત્યારે તેઓ સેવા કરવાની વાત કરશે, પરંતુ તેઓ પૈસા કમાવવા માટે ચૂંટણી લડે છે અને ભ્રષ્ટાચારના નાણા ભેગા કરે છે. પોલીસના અધિકારીઓએ જેલમાં આવીને મને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કર્યું હતું, પરંતુ હું ડર્યો નથી અને ભાજપમાં જોડાયો નથી. મને જેલમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. બિરસા મુંડા જે રીતના જેલમાં શહીદ થયા હતા, તે રીતના હું પણ શહીદ થવા તૈયાર છું.’ 

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોવા છતાંય ભાજપના નેતાઓ ગાંધીનગર અને દિલ્હી જઈને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ સામાન્ય કરાવી લાવ્યા છે.  તેમણે ભાજપ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ‘સભા પહેલા સરપંચો અને ગ્રામજનો પર દબાણ કરવામાં આવે છે કે, આમ આદમી પાર્ટીની સભામાં ના જવુ, નહીં તો રેશનકાર્ડનો જથ્થો બંધ કરી દેવાશે….’ 

આ પણ વાંચો: ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીનામું

સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી ઉપર ચૈતર વસાવા વરસ્યા અને તેઓએ કહ્યું કે, ‘કાકા તમને 15 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય રોડ રસ્તા અને પાણીની સુવિધા આપી ન શક્યા. આમ હવે કાકાનો ગરબો ઘરે મોકલવાનો વારો આવી ગયો છે.’



Source link

Related Articles

Back to top button