गुजरात

ભાવનગર શહેરમાં જગન્નાથજીના રથનું રવિવારે પૂજન કરાશે | Bhavnagar The chariot of Lord Jagannath will be worshipped on Sunday in the city



ભાવનગર – વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુદ બીજના પર્વે ચાર ધામો પૈકીના એક જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીની વિશ્વ વિખ્યાત રથયાત્રા ધામધૂમથી નિકળે છે. આ રથયાત્રાના ત્રણેય રથનું રથયાત્રા પૂર્ણ થયે વિસર્જન કરાય છે અને બીજા વર્ષે નવા કાષ્ટમાંથી નવા ત્રણ રથના નિર્માણ કાર્યનો અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજથી પ્રારંભ કરાય છે. અમદાવાદ તથા ભાવનગરની રથયાત્રાના રથોનું રથયાત્રા પૂર્ણ થયે વિસર્જન કરાતુ નથી. પરંતુ અખાત્રીજના દિવસે ભગવાનના રથનું પૂજન અને મેઈન્ટેનન્સ અને તૈયારીઓ શરૃ કરાય છે. તે મુજબ ભગવાનના રથનું પૂજન, અર્ચન, મ.મં.પ.પૂ. ગરીબરામબાપુ (નાની ખોડીયાર) તથા મહંત પ.પૂ. રામચંદ્રદાસજી મહારાજ (તપસ્વીબાપુની જગ્યા)ના હસ્તે આગામી તા.૧૯ એપ્રિલ રવિવારે સવારે ૧૦ કલાકે શહેરના સુભાષનગરના મંદિરે યોજાશે.



Source link

Related Articles

Back to top button