गुजरात

આશ્રમમાં આત્મહત્યા કરનાર પ્રાૈઢના કેસમાં ત્રણ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application rejected



વડોદરા : ધંધામાં મદદ માટે આપેલા રૃા.૩.૫૬ કરોડની રકમ પરત માંગતા ધમકી
આપીને પ્રોઢને આત્મહત્યા માટે મજબુર કરનારા ત્રણ શખ્સે ડિસ્ચાર્જ અરજી દાખલ કરતા
અદાલતે આરોપીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું
હતું કે
,
રેકોર્ડ પર રહેલા પુરાવાઓ જોતા પ્રથમ દ્રષ્ટિએ આરોપીઓ સામે કેસ બને
છે.

કેસની વિગત એવી છે કે, અમદાવાદમાં રહેતા અને વિઝા-પાસપોર્ટનો વ્યવસાય
કરતા રશ્મીકાંતભાઇ રાવલે (ઉ.વ.૫૧)એ તારીખ ૧૪ નવેમ્બર ૨૦૧૯ના રોજ શિનોર તાલુકાના
દરીયાપુરા ગામ પાસે આવેલા મહા મૃત્યુંજય આશ્રમના રૃમ નંબર ૯માં ગળેફાંસો ખાઈ
આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પત્ની ભાવનાબેન રાવલે શિનોર પોલીસ
સ્ટેશનમાં અમદાવાદમાં રહેતા નરેશ વ્યાસ
, રમણ  જૈન અને જીજ્ઞોશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ રશ્મીકાંતભાઇ પાસેથી કુલ રૃ.
,૫૬,૯૦,૦૦૦ જેટલી માતબર રકમ
ધંધામાં મદદના નામે લીધી હતી
, જે પરત માંગતા આરોપીઓ તેમને
ધમકી આપતા હતા એટલે આરોપીઓના ત્રાસથી કંટાળી રશ્મીકાતભાઇએ આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસમાં ત્રણે આરોપીઓએ અદાલતમાં 
ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી
, જેની સુનાવણીમાં બચાવ
પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે
, માત્ર લોન પરત ન કરવી તે
આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતો નથી અને સુસાઈડ નોટમાં પણ કોઈ સીધો
ઉશ્કેરણીના કૃત્યનો ઉલ્લેખ નથી.

જ્યારે સરકારી વકીલ જે.એમ.કંસારાએ દલીલ કરી હતી કે,આરોપીઓએ
રશ્મીકાંતભાઇ અને તેમના સગા-સંબંધીઓના કરોડો રૃપિયા હડપી કરી લીધા હતા. આરોપીઓએ
જાણીજોઈને એવી પરિસ્થિતિ ઊભી કરી હતી કે જેના કારણે તેમની પાસે આત્મહત્યા કરવા
સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. સાક્ષીઓના નિવેદનો અને હસ્તાક્ષર નિષ્ણાંતોના
અભિપ્રાય મુજબ આરોપીઓની સંડોવણી સ્પષ્ટ જણાઈ આવે છે.

બંને પક્ષોની દલીલો તેમજ પુરાવાને ધ્યાન લઇ ન્યાયાધીશ
એમ.બી.કોટકે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરતા ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપીઓએ
લીધેલા નાણાં પરત કરવાની ના પાડી ધમકીઓ આપી હતી
, જેના કારણે
મૃતક પોતાના સંબંધીઓને મોઢું બતાવી શકે તેવી સ્થિતિમાં નહોતા. આ સામાજિક અને
માનસિક દબાણ જ તેમને આત્મહત્યા તરફ દોરી ગયું હોવાનું જણાય છે.

 

(બોક્સ)

સુસાઈડ નોટ અને પત્રો મહત્વના પુરાવા બન્યા

મૃતક રશ્મીકાંતભાઇ રાવલે આત્મહત્યા કરતા પહેલા પોતાની ડાયરીમાં
સુસાઈડ નોટ લખી હતી
, જેમાં તેમણે સ્પષ્ટ પણે ત્રણેય આરોપીઓના નામનો
ઉલ્લેખ કરી તેમને પોતાના મોતના જવાબદાર ગણાવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને તેમના
ઘરેથી તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ  આરોપીઓને
લખેલા પત્રોની નકલ પણ મળી આવી હતી
, જેમાં રશ્મીકાંતભાઇએ
નાણાં પરત કરવા માટે આજીજી કરી હતી. આ પત્રો અને ડાયરીમાં લખાયેલા શબ્દોને એફએસએલ
અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટ દ્વારા પણ ચકાસવામાં આવ્યા છે. કોર્ટે આ તમામ દસ્તાવેજી
પુરાવાઓને ગંભીરતાથી લઈ આરોપીઓને છોડવાનો ઇનકાર કર્યો હતો. 



Source link

Related Articles

Back to top button