गुजरात

માણાવદરમાં નવનિયુક્ત પીએસઆઇ દ્વારા આજરોજ રસ્તા ઉપર આડેધડ લારીઓ ખડકાયેલા હતા તે દૂર કરવાની સૂચના આપી હતી..

જૂનાગઢ

રિપોર્ટર – વનરાજ ચૌહાણ , અશોક બારોટ

માણાવદર શહેર માં નવનિયુક્ત પી એસ આઈ પી.વી.ધોકડિયા પોલીસ સ્ટાફ દ્વારા શાકમાર્કેટ વિસ્તાર પોસ્ટ ઓફિસ રોડ બસ સ્ટેશન રોડ સિનેમા રોડ પર દુકાનો ઉપર આડેધડ કાઉન્ટરો બનાવેલા છે જે ટ્રાફિક સમસ્યામાં નડતર રૂપ છે જે દૂર કરવા પીએસઆઇ દ્વારા સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે માણાવદર ની પ્રજાને કોઈ હાલાકી ના ભોગવવી અને ટ્રાફિક સમસ્યા ભોગવવાઈ ના પડે જે દુકાનદારો પોતાની દુકાનો બાર પોતાની રીતે દબાણ રાખી બેઠા હોય અને ક્યાંક ને ક્યાંક અડચણ રૂપ છાપરા રાખી પોતાની મનમાની ચલાવતા હોય તેને આજે કડક સૂચના આપવામાં આવી હતી આજથી પાંચ વર્ષ પહેલા એમ. એસ. ગોહિલ શહેરમાં ઇન્ચાર્જ પીએસઆઈ તરીકે આવ્યા ત્યારે આવી કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો બાદ નવનિયુક્ત પીએસઆઇ પી.વી.ધોકડિયા દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

Related Articles

Back to top button