गुजरात

જામનગરમાં લમ્પિ વાયરસના કારણે સંખ્યાબંધ ગૌવંશના મૃત્યુ: શહેર કોંગ્રે કર્યું વિરોધ પ્રદર્શન

જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે સંખ્યાબંધ ગૌવંશના મૃત્યુ મૃત્યુ થઈ રહ્યા હોવાથી જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, અને ગૌમાતાને બચાવવા માટે ઘરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જામનગર શહેરમાં તાજેતરમાં લમ્પિ વાયરસનો રોગચાળો ફેલાયો છે, અને તંત્રની બેદરકારીના કારણે અનેક ગૌવંશ મૃત્યુ પામી રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી ગૌવંશને બચાવવા માટે આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લાલ બંગલા સર્કલમાં ધરણા યોજવામાં આવ્યા હતા.જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ, તેમજ અન્ય કોંગી કોર્પોરેટરો, મહિલા અગ્રણીઓ, કાર્યકરો, વગેરે જોડાયા હતા, અને ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Related Articles

Back to top button