गुजरात

સુરત ખાતે માત્ર 15 દિવસ માં નવી સિવિલ હોસ્પિટલમા 1000 પથારી ની સુવિધા ધરાવતી હોસ્પિટલ નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની વરદ હસ્તે લોકાર્પણ કરાયું..

Anil Makwana

સુરત

રીપોટર – હરીશ પવાર

હાલ વિશ્વમાં કોરોના વાઇરસ ની મહામારી ને લઈ અનેક સપડાયા છે.ત્યારે ભાજપની સત્તાધીશએવી ગુજરાત રાજ્ય સરકાર ખુબજ ગંભીર છે.અને સરકાર દ્વારા આરોગ્યની ટીમ સતત સતર્ક છે. અને આવા કોરોના કેસો ને સારવાર માટે ખૂબ ઈમરજન્સી લોકકલ્યાણ માટે નિર્ણયો લીધા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા..સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલ મજુર ગેટ ખાતેની હોસ્પિટલ માં માત્ર ને માત્ર.15 દિવસ માં.1000 પથારી ની સુવિધાઓ ધરાવતી અતિ આધુનીક સાધનો થી સુસજ્જ હોસ્પિટલ નું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે કરવામાં આવેલ આ લોકાર્પણ વિધિના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સુરત વરાછા વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય તેમજ રાજ્ય સરકાર ના આરોગ્યપરિવાર કલ્યાણ તબીબ શિક્ષણ ના મંત્રી શ્રી કિશોર (કુમાર)કાનાણી ની ઉપસ્થિત માં સંપન્ન કરવા માં આવેલ. જે અંગે સાંસદ સભ્યો.ધારાસભ્યો. અધિકારી ઓ.પદાધિકારીઓ આમંત્રીતો મહાનુભાવો સહિત ની ઉપસ્થિત માં સરકારી ગાઈડલાઈન સાથે મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ યોજાયો હતો..

 

Related Articles

Back to top button