गुजरात

અમદાવાદ : મહંત નરેશ દાસ પર દુષ્કર્મનો આરોપ, લગ્ન-નોકરીની લાલચે પીડિતાને હવસનો શિકાર બનાવી!

Ahmedabad News : અમદાવાદમાં મહંત પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેલ્લા અઢી વર્ષ થી મહંત સગીરા (Minor girl) સાથે દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ લગાવતા પોલીસએ (Police) ફરિયાદ નોંધી ને તપાસ શરૂ કરી છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલ એક મંદિરનાં મહંત વિરુદ્ધમાં એક યુવતી એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહંત નરેશ દાસ  સામે યુવતીએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા અઢી વર્ષ થી એટલે કે તે જ્યારે સગીર હતી ત્યાર થી આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો.

જો કે પરિવાર ની બદનામી ના થાય તે માટે તેને આ વાત કોઈને કરી ના હતી. પરંતુ મહંતનો ત્રાસ વધતા આખરે યુવતી સામે આવી અને પોક્સો ની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.

‘મહંતે ભાણા સાથે લગ્ન કરાવી નોકરી આપવાની લાલચ આપી’

ફરિયાદીના આક્ષેપ મુજબ વર્ષ  2019માં સગીરા અમદાવાદમાં આરોપી નરેશ દાસના ભાણા સાથે રહી નોકરી ની શોધખોળ કરતી હતી, તે સમયે આરોપીએ તેના ભાણા સાથે લગ્નની લાલચ આપી, સાથે જ નોકરી અપાવવાનુંનું વચન આપી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

Related Articles

Back to top button