गुजरात

વસમી વિદાય: ઊંઝા APMCથી આશાબેન પટેલની અંતિમયાત્રા નીકળી, ઊંઝામાં માર્કેટ યાર્ડ, બજારો બંધ

મહેસાણા: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારે ડેન્ગ્યૂના કારણે અવસાન થતા આજે સિદ્ધપુરમાં અંતિમવિધિ કરવામા આવશે. આજે સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડર બ્રિજ થઈ તેઓના ગામ વિસોળ ખાતે લઇ જવાશે.ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવશે. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.

મહેસાણામાં શોકનો માહોલ

સોમવારે, એટલે આજે વહેલી સવારે આશાબેનના પાર્થિવદેહને વતન વિસોલ ગામ લઇ જવામાં આવ્યો છે. ત્યાર બાદ સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. આશાબેનના નિધન બાદ મહેસાણામાં શોકનો માહોલ છવાયો છે. ઊંઝા શહેરની બજારો, માર્કેટ યાર્ડ આજે બંધ રહેશે. વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને આશાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

મુખ્યમંત્રીએ આશાબેનના પરિવારજનોને મળી સાંત્વના આપી

આશાબહેન પટેલના પાર્થિવ દેહને ગઇકાલે ઉંઝા એપીએમસીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબહેન પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી ઉંડા શોક સાથે શ્રધૃધાંજલિ પાઠવી હતી. સીએમ આશાબેનના પરિવારજનોને પણ મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય, નેતાઓ અને સમર્થકોએ ઉંઝા એપીએમસીમાં પાર્થિવદેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Related Articles

Back to top button