गुजरात

ડૉ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા રાપર શહેરના હોદ્દેદારો ની નીમણુંકી કરાઈ

Anil Makwana

રાપર

રિપોર્ટર – કાંતિલાલ સોલંકી

વાગડ પંથકમાં અનુસુચિત જાતિ તેમજ પછાત વર્ગ માં છેલ્લા સાત વર્ષથી કાર્યરત તેમજ યુવાઓમાં વર્ચસ્વ ધરાવતા ડૉ આંબેડકર યુવા ગ્રુપ ની આજે રાપર ખાતે મીટીંગ યોજાઈ જેમાં સમાજ પર થતા અન્યાય અત્યાચાર પર અંકુશ લાવવા તેમજ સમાજના યુવાઓમા એકતા અને ભાઇચારો નિર્માણ કરવા ઉપરાંત વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ કરાઈ .રાપર શહેરમાં ડૉ આંબેડકર યુવા ગ્રુપ મારફતે સમાજ માં દરેક ઘર સુધી મહાપુરુષો ના વિચારો ને પહોંચતા કરવા શહેરની એક મજબૂત ટીમ બનાવીને નવા હોદ્દેદારોની નીમણુંક કરાઈ જેમાં પ્રમુખ તરીકે મહેશ ભદ્રુ , ઉપ પ્રમુખ બાબુભાઈ પરમાર, મંત્રી સંજયભાઈ રાઠોડ, મહામંત્રી ગોપાલભાઈ રાઠોડ , ગોકળભાઈ વાઘેલા , ખજાનચી , સંજયભાઈ પરમાર , દિનેશભાઈ વાઘેલા , અશ્વિનભાઈ પરમાર, મિડિયા સેલ ભરતભાઈ ગોહિલ , કિશનભાઇ રાઠોડ તેમજ સલાહકાર રામજીભાઈ કાઠેચા ની સર્વાનુમતે નિમણુંકી કરવામા આવી તમામ હોદેદારો ને સમાજના દરેક યુવાઓ ને સંગઠન માં જોડી સંગઠન ને વધુ માં વધુ મજબૂત બનાવવા ઉપસ્થિત કાર્યકરોએ શુભકામનાઓ આપી હતી આ પ્રસંગે ડૉ આંબેડકર યુવા ગ્રુપ ના પૂર્વ પ્રમુખ સુદરભાઈ ચૌહાણ , પૂર્વ ઉપપ્રમુખ અશોક રાઠોડ , પૂર્વ મંત્રી વાલજીભાઈ રાઠોડ , ધીરજ પરમાર, દિલીપ ગોહિલ , હિતેશ ભદ્રુ, બીપીન ડોડીયા , સાગરભાઈ રાઠોડ, બાબુભાઈ મેરીયા, વેરશીભાઈ સોલંકી સહિત બહોળી સંખ્યામાં રાપર શહેર ના કાર્યકરો ઉપસ્થિત રહી નવા હોદ્દેદારો ને શુભેચ્છાઓ પાઠવી હતી…

Related Articles

Back to top button