गुजरात

તા.17/06/2021. આદિપુર પ્રાથમિક માધ્યમિક શાળા વિધ્યાર્થી વાલી મંડળ દ્વારા ડો.અંજનાબેન એસ. મોદી નો શુભેચ્છા સન્માન કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

તા.17/06/2021.
આદિપુર પ્રાથમિક માધ્યમિક શાળા વિધ્યાર્થી વાલી મંડળ દ્વારા ડો.અંજનાબેન એસ. મોદી નો શુભેચ્છા
સન્માન કાર્યક્રમ યોજાયો
આદિપુર પ્રાથમિક માધ્યમિક શાળા વિધ્યાર્થી વાલી મંડળ દ્વારા ડો.અંજનાબેન મોદી નો શુભેચ્છા સન્માન
કાર્યક્રમ આદિપુર સી.આર.સી કો.ઓર્ડિનેટરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમ માં આદિપુર સરકારી માધ્યમિક શાળાના મ.શિ શિક્ષિકા ડો.અંજનાબેન મોદી તા.25/06/2019
થી આ શાળામાં ફરજ બજાવે છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ કાર્ય કરી રહેલ છે તેમની શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ
શ્રેષ્ઠ કામગીરીજેમાં બાયસેગ દ્રારા વિધ્યાર્થીઓને શિક્ષણ તેમજ શિક્ષણ માં ઇનોવેસન તેમજ સામાજિક
પ્રવૃતિઓ ને બિરદાવવા માટે તેમનું સન્માન બુકે –મોમેન્ટો અને સન્માનપત્રથી સન્માન કરાયું હતું.
સ્વાગત તેમજ પ્રાસંગિક પ્રવચન વાલી મંડળના મહામંત્રી શ્રી નારણભાઈ લોચા એ કર્યું હતું. આ પ્રસંગે આદિપુર
સરકારી માધ્યમિક શાળાના આચાર્યા વર્ષાબેન સોમૈયા ,આદિપુર સી.આર.સી એન.સી.વ્યાસ,આદિપુર ગ્રૂપ
શાળા આચાર્ય વી.કે.મેવાડા,વાલી મંડળના પ્રમુખ દાઉદભાઈ સંઘાર મહામંત્રી નારણભાઈ લોચા,દિનેશભાઇ
વાણિયા ધીરજભાઈ સિજુ ,મોહનભાઇ બળિયા,શામજીભાઈ ધુવા,તેમજ હાઈસ્કૂલ સ્ટાફ ગણ દક્ષાબેન
પટેલ,અજીતસિંહ ચાવડા,સંધ્યાબેન ભટ્ટ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ સીજુ અને આભારવિધિ દિનેશભાઈ વાણિયાએ કરી હતી,એવી યાદી શ્રી નારણભાઈ લોચા એ જણાવી હતી.

Related Articles

Back to top button