गुजरात
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યું
Anil Makwana
અમદાવાદ
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિ ની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી,મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમ,મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લા એ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાન મંત્રીશ્રી ને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિ નો ચિતાર આપ્યો હતો તે બેઠક ની તસવીરો