राष्ट्रीय

‘બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો…’, યોગીના ‘કયામત’ વાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર | Humayun Kabir’s Defiant Reply to Yogi Adityanath’s ‘Qayamat’ Statement On Babri Masjid



Humayun Kabir On Yogi Adityanath : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એન્ટ્રી થઈ છે. મુખ્યમંત્રી યોગીના બાબરી મસ્જિદના ‘કયામત’ વાળા નિવેદન પર પૂર્વ તૃણમૂલ કોંગ્રેસ નેતા અને જનતા ઉન્નયન પાર્ટીના પ્રમુખ હુમાયુ કબીરે પલટવાર કર્યો છે. મંગળવારે(10 ફેબ્રુઆરી, 2026) હુમાયુંએ કહ્યું કે, “તેઓ મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની પ્રતિકૃતિ ચોક્કસ બનાવશે, અને તેમને કોઈ રોકી શકશે નહીં.” તેમણે યોગીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું, “હું મસ્જિદ બનાવીશ, શકી શકો તો રોકી લો.”

શું કહ્યું હુમાયુ કબીરે?

હુમાયુ કબીરે કહ્યું કે, “આ લખનઉ કે ઉત્તર પ્રદેશ નથી, અયોધ્યા પણ નથી. પરંતુ બંગાળ છે અને અહીં મમતા બેનર્જીનું શાસન છે. ભારતીય બંધારણ મુજબ, મુસ્લિમોને મસ્જિદ બનાવવાનો સંપૂર્ણ અધિકાર છે, જેમ અન્ય લોકોને મંદિરો કે ચર્ચ છે. તેમણે 6 ડિસેમ્બર, 2025ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસની વર્ષગાંઠના રોજ મસ્જિદનો શિલાન્યાસ કર્યો હતો અને તેનું નિર્માણ કાર્ય 11 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થશે.”

તેમણે વધુમાં કહ્યું કે, “સવારે 10 વાગ્યાની આસપાસ આશરે 1200 લોકો કુરાન વાંચતા કામની શરૂઆત કરશે.” આ દરમિયાન હુમાયુએ યોગીને ચેતવણી આપતા કહ્યું કે, “જો રોકવા છે તો રોકીને બતાવો, અમે કોઈનાથી ડરતા નથી અને કોઈના દબાણમાં નહીં આવીએ. મસ્જિદ બનાવીને રહીશું.”

યોગી આદિત્યનાથે શું કહ્યું?

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે કહ્યું હતું કે, ‘કયામત’નો દિવસ ક્યારેય નહીં આવે અને તેથી બાબરીનું માળખું ક્યારેય ફરીથી નહીં બને. આદિત્યનાથે બારાબંકીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “અમે કહ્યું હતું કે અમે રામલલા પાસે આવીશું અને ત્યાં મંદિર બનાવીશું. મંદિર બની ગયું છે. શું કોઈ શંકા છે?” જે લોકો ‘કયામત’ના દિવસનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેઓ એવી જ રીતે સડી જશે. તે સમય ક્યારેય નહીં આવે.

મુખ્યમંત્રી યોગીએ વધુમાં જણાવ્યું કે, 500 વર્ષ પછી અયોધ્યામાં તે ગૌરવપૂર્ણ ક્ષણ આપણી સમક્ષ આવી છે. આ 500 વર્ષો દરમિયાન ઘણા રાજાઓ અને સમ્રાટો આવ્યા અને ગયા, અને ઘણી સરકારો રચાઈ. ભારતને 1947માં આઝાદી મળી અને 1952માં પહેલી ચૂંટણી પછી સરકારો રચાઈ, પરંતુ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં મંદિર બનાવવાનો વિચાર તેમને ક્યારેય કેમ ન આવ્યો? 

આ પણ વાંચો: દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશવ્યાપી નેટવર્કની તપાસ કરો

વિપક્ષ પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે, “કેટલાક લોકો તકવાદી વલણ અપનાવે છે. તેઓ રામને ફક્ત મુશ્કેલ સમય આવે ત્યારે જ યાદ કરે છે, પરંતુ બાકીના સમયે તેમને ભૂલી જાય છે. તેથી ભગવાન રામ પણ હવે તેમને ભૂલી ગયા છે. હવે તેમની હોડી ક્યારેય સમુદ્ર પાર કરશે નહીં, એટલે કે રામદ્રોહીઓ માટે કોઈ સ્થાન નથી.”



Source link

Related Articles

Back to top button