ગાંધીનગર
શરદ પૂનમના દિવસે અનાથ બાળકો ગરબે ઝૂમ્યા – સ્મિત ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના બાળકોને પોલીસ પરમીશન અને સામાજિક અંતર જાળવીને સરદ પૂનમના દિવસે ગરબા કરવામાં આવ્યા.
બાળકો સાથે મોટા લોકો પણ ઉપસ્થિત રહી ગરબે ઘુમ્યા હતા. સ્મિત ફાઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ અને આનંદ પારેખ, સાથે અહિયાં મહેમાનશ્રીઓ ચાંદનીબેન નેભનાણી, ભાવિનભાઈ સોલંકી, ઉમેશભાઈ સથવારા, નીતિન રાજપૂત, પ્રીન્સી પટેલ, ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી. શરદ પૂર્ણિમાનો મહિમા સમજાવ્યો, અને છોકરીઓને થતી સમસ્યા વિશે વાત કરી હતી અને તેમને કેવા કેવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે તેનાથી પહોચી વળવા તેમને સચોટ માર્ગદર્શન આપ્યું હતું.