સુરત : 25 દિવસ બાદ આજથી ST બસ સેવા શરૂ, મુસાફરોએ આ નિયમોનું કરવું પડશે પાલન
સુરત : સુરત શહેરમાં કોરોના વાયરસ બેકાબૂ બનતા ગત 27મી જુલાઈએ સુરતથી અને સુરત સુધીની તમામ એસ.ટી. બસ રદ કરવામાં આવી હતી. જોકે, હવે તંત્રએ ફરીથી સુરતથી અને સુરત સુધીની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છેફાઇલ તસવીર
આજથી સુરત ડેપો માટે બસ સેવા શરૂ થશે. જોકે, પહેલાંની જેમ જ સુરત સુધી આવતી બસોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારે જ બૂકિંગ થશે. મુસાફરોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને તેમનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે.
ગત 27મી જુલાઈએ સુરતમાં કોરોના વકરતા પહેલાં 10 દિવસ માટે બસ સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, 6 ઑગસ્ટના રોજ સ્થિતિ વણસેણી જણાતા વધુ 7 દિવસ માટે બસ સેવા બંધ કરવામાં આવી હતી. 14મી ઑગસ્ટે આ બસ સેવા વધુ 7 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે 21મી ઑગસ્ટથી આ નિર્ણના અનુસંધાનમાં સુરતથી એક્સપ્રેસ બસો રાજ્યમાં વિવિધ ઠેકાણે દોડશે. એસ.ટી. બસોને રાત્રિ મુસાફરીની પણ પરવાનગી હોવાના કારણે રાબેતા મુજબ પરિવહન થશે તેમજ મુસાફરો ઑનલાઇન બુકિંગનો લાભ પણ ઉઠાવી શકશે.