સુરત : પ્રેમ લગ્ન કરનારી યુવતી સાથે છેતરપિંડી, મહેંદીનો રંગ ઉતરે એ પહેલાં પતિએ તરછોડી દીધી

સુરત : સુરત ના વેસુ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિએ લવ મેરેજના બે દિવસ પછી જ તરછોડી નાસી ગયો હતો દસ મીનીટમાં આવુ છું કહીને ઘરેથી નિકળ્યા બાદ પતિઍ પરત ઘરે આવ્યો ન હતો. અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પરિણીતા પતિને શોધવા માટે ઘરેથી નિકળતી હતી ત્યારે તેના સાસરીયાઓ પતિ સાથે રહેવુ હોય તો માતા-પિતા પાસેથી રૂપિા 20 લાખ લઈને આવવાનું કહી શારીરીક માનસીક ત્રાસ આપી ધરમાંથી કાઢી મુકી હતી.
સુરતના વેસુ વિજ્યા લક્ષ્મી પાસે રહેતી અને અભ્યાસ કરતી 19 વર્ષીય પરિણીતાઍ ગત તા 11 ડિસેમ્બર 2020ના રોજ નવસારી આશાનગર અજીત સોસાયટીમાં રહેતા જય નીરજ જાગાણી સાથે લવમેરેજ કર્યા હતા. લવમેરેજ હોવાથી સાસુ-સસરા તેનાથી નારાજ હતા છતાંયે પરિણીતા તેમને રાજી કરવા માટે તેમના આર્શીવાદ લેવા માટે ગઈ હતી. સાસુ સસરાએ મીઠીમીઠી વાતો કરી હતી. જાકે બીજા દિવસથી સાસુ નેહાબેન જાગાણી અને સસરા નીરજ જાગાણી, પ્રણય પ્રદિપ ગાંધી અને વૈશાલી પ્રદિપ ગાંધી ઍકબીજાની મદદથી જયને પત્નીને છોડી દેવા માટે ચડાવવા લાગ્યા હતા.