આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ સમયે ખામી સર્જાઈ | iaf an32 aircraft accident jorhat assam

IAF AN-32 Aircraft Crashes During Landing at Jorhat Airbase : આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય વાયુસેનાએક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, વિમાન જ્યારે એરફોર્સ સ્ટેશનમાં લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે તેમાં અચાનક ખામી સર્જાઈ હતી.
લેન્ડિંગ દરમિયાન જ મોટી દુર્ઘટના
મળતી માહિતી મુજબ, AN-32 વિમાન જોરહાટ એરફિલ્ડ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન જ વિમાનમાં ખામી સર્જાતાં એરબેઝ પર તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સક્રિય કરવામાં આવી હતી. હાલમાં અકસ્માત સ્થળે ફાયરફાઈટિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

વાયુસેનાનું સત્તાવાર નિવેદન
ભારતીય વાયુસેનાએ આ દુર્ઘટના અંગે ટૂંકું નિવેદન આપતા જણાવ્યું છે કે, આજે જોરહાટમાં વાયુસેનાનું એક AN-32 વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. વધુ વિગતો ઉપલબ્ધ થતાં જ અપડેટ આપવામાં આવશે.
તપાસ અને સ્થિતિનું આકલન
હજુ સુધી જાનહાનિ, નુકસાનનું પ્રમાણ અથવા અકસ્માતનું ચોક્કસ કારણ શું છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એરફોર્સના અધિકારીઓ હાલમાં પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને તપાસ ટીમો આ અકસ્માત પાછળના કારણો જાણવા માટે તપાસ કરશે.



