राष्ट्रीय

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારની નકલી રસીદ બનાવી! | mp rajgarh son declares alive father dead for bank loan fraud



Yash Gupta Bank Loan Fraud 2026: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના ખીલચીપુરથી એક એવો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે, જેણે સંબંધોની મર્યાદા, સરકારી તંત્રની સતર્કતા અને બેંકિંગ સુરક્ષા વ્યવસ્થા ત્રણેય પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. અહીં એક કળિયુગી દીકરાએ પૈસાની લાલચમાં પોતાના જીવતા પિતાને સરકારી કાગળોમાં મૃત જાહેર કરી દીધા એટલું જ નહીં, પરંતુ જ્યારે બેંકની લોન ચૂકવવામાં મુશ્કેલી પડી ત્યારે તેણે પોતાની જ મોતનું નાટક રચીને બેંકને પણ ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

રોજની માથાકૂટથી કંટાળી પિતાએ ઘર છોડ્યું

ખીલચીપુરમાં પ્રતિષ્ઠિત લોકોના એકાઉન્ટ મેન્ટેન કરવાનું કામ કરતા પીડિત પિતા દિનેશ ગુપ્તાએ રડમસ અવાજે આ દર્દનાક કહાની જણાવી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 2020માં ઘરના રોજ-રોજના ઝઘડાથી પરેશાન થઈને તેઓ ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ 14 એપ્રિલ 2026ના રોજ એક પરિચિતના ફોન કોલ બાદ જ્યારે તેઓ 18 મે 2026ના રોજ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (AU Small Finance Bank) પહોંચ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. બેંકના રેકોર્ડમાં દિનેશ ગુપ્તાના નામની આગળ સ્વર્ગસ્થ લખેલું હતું. જીવતાજાગતા વ્યક્તિને પોતાની સામે ઉભેલા જોઈને બેંકના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારની નકલી રસીદ બનાવી! 2 - image

અન્યની મિલકત પોતાની બતાવી, નકલી સિક્કા મારી 20 લાખ રૂપિયાની લોન લીધી

તપાસમાં બહાર આવ્યું કે આરોપી પુત્ર યશ ગુપ્તાએ લોન લેવા માટે એક દરજીનું મકાન અને ઇન્દોરના એક વ્યક્તિની દુકાનને દસ્તાવેજોમાં પોતાની પ્રોપર્ટી ગણાવી દીધી હતી. યશે નગર પરિષદના નકલી દસ્તાવેજો, નકલી સીલ અને નકલી સહીઓ તૈયાર કરી હતી. પહેલા પ્રોપર્ટી પિતાના નામે બતાવી, પછી તેમને મૃત જાહેર કરી મિલકત પોતાની અને માતા બબીતા ગુપ્તાના નામે ટ્રાન્સફર કરાવી લીધી અને તેના આધારે 31 ઓગસ્ટ 2024ના રોજ 20 લાખ રૂપિયાની લોન પાસ કરાવી લીધી. આ સિવાય તેણે બેંક ઓફ ઇન્ડિયા (BOI) ની ઢબલી શાખામાંથી પણ બેકરીના નામે 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. બંને બેંકોની લોન મળીને કુલ 25 લાખ રૂપિયાનું દેવું કરીને તે ડિફોલ્ટર બની ગયો હતો.

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારની નકલી રસીદ બનાવી! 3 - image

આ પણ વાંચો : શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

બેંકથી બચવા સ્મશાન ઘાટની નકલી રસીદ બનાવી!

જ્યારે લોનની ન ભરાયેલી કીસ્તોના કારણે બેંકની નોટિસ આવવા લાગી, ત્યારે આરોપી યશ ગુપ્તાએ એક નવો અને ખતરનાક પ્લાન ઘડ્યો. તેણે બ્યાવરા મુક્તિધામમાંથી પોતાના જ નામની અંતિમ સંસ્કારની નકલી રસીદ તૈયાર કરાવી, જેમાં મોતની તારીખ 20 માર્ચ 2026 નોંધેલી હતી. જો કે, સ્મશાન ઘાટના કર્મચારી ભૂપેન્દ્ર કુમાર મિસ્ત્રીએ ખુલાસો કર્યો કે તેમના રેકોર્ડમાં હજુ 374 નંબર સુધીની જ રસીદો કપાઈ છે, જ્યારે યશ પાસે 400 નંબરની નકલી રસીદ હતી. જ્યારે યશને ખબર પડી કે તેના પિતા જીવતા બેંક પહોંચી ગયા છે અને તપાસ શરૂ થઈ છે, ત્યારે તેણે પોતાનો આ પ્લાન કેન્સલ કર્યો હતો. પીડિત પિતાના જણાવ્યા મુજબ, આરોપી પુત્ર પાસે અલગ-અલગ સરનામા વાળા બે ઓળખકાર્ડ પણ છે.

પોલીસ અને નગર પરિષદ એક્શન મોડમાં

ખીલચીપુર નગર પરિષદના સીએમઓ (CMO) દેવ નારાયણ ડાંગીએ આ તમામ દસ્તાવેજોને નકલી ગણાવ્યા છે અને આરોપી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધાવીને નામકરણ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ખીલચીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી કમલ સિંહ ગેહલોતે જણાવ્યું કે નગર પરિષદ અને પીડિત પિતા બંનેની ફરિયાદના આધારે નકલી દસ્તાવેજો અને બેંક લોનની તપાસ કરવામાં આવી રહી છે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button