राष्ट्रीय

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય | PM Modi Remembers Pahalgam Attack Victims


Pahalgam Terror Attack: PM Modi Pays Tribute : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ગત વર્ષે પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાના પીડિતોને દેશ ક્યારેય ભૂલશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે આપણે દુઃખ અને સંકલ્પની આ ઘડીમાં એકજૂથ છીએ. ભારત આતંકવાદના કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં. 

પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય 2 - image

22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓએ 26 લોકોના જીવ લીધા હતા 

સ્થળ: પહલગામની મનોરમ્ય બાઈસરન વેલી. સહેલાણીઓ જ્યારે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ અચાનક અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો. આતંકીઓએ નામ અને ધર્મ પૂછીને, મહિલાઓ અને બાળકોની નજર સામે જ નિર્દોષ લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આ કાયરતાપૂર્ણ હુમલામાં કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

ભારતની સેનાનો જવાબ- ઓપરેશન સિંદૂર અને મહાદેવ

હુમલા બાદ ભારતની સેનાએ આક્રમક વલણ અપનાવીને આતંકીઓને પાઠ ભણાવ્યો હતો. ભારતીય સેનાએ સરહદ પાર પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓના 9 ઠેકાણાઓને તબાહ કર્યા, જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા. આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. 

ઓપરેશન મહાદેવ

28 જુલાઈ 2025ના રોજ સેનાએ સૌથી મોટી સફળતા મેળવી. આ સ્પેશિયલ ઓપરેશન હેઠળ પહલગામ હુમલા માટે જવાબદાર મુખ્ય આતંકીઓને શોધીને ઠાર કરવામાં આવ્યા હતા.



Source link

Related Articles

Back to top button