दुनिया

યુદ્ધ વચ્ચે ટ્રમ્પના એક નિર્ણયથી ભારતને થશે બમ્પર ફાયદો! તેલનો ખેલ જ બદલાઈ જશે | donald trump jones act waiver crude oil impact on india gujarati




Crude Oil Crisis : અમેરિકાએ પહેલા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યું અને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવો મોટો નિર્ણય લીધો છે, જેનાથી ક્રૂડ ઓઇલની આખી રમત બદલાઈ શકે છે. ઇઝરાયલ અને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલની કિંમતો બેકાબૂ બની રહી છે, ત્યારે ટ્રમ્પે અમેરિકાના 100 વર્ષ જૂના ‘જોન્સ એક્ટ’ (Jones Act) શિપિંગ નિયમોમાં 60 દિવસની વિશેષ છૂટ આપી છે. આ નિર્ણય ભારતીય શિપિંગ કંપનીઓ માટે તો ફાયદાકારક છે જ, પણ સાથે જ સામાન્ય ભારતીયોને મોંઘા તેલમાંથી રાહત અપાવી શકે છે. ચાલો, આ રસપ્રદ સવાલ-જવાબ દ્વારા સમજીએ કે આખું ગણિત શું છે.

1. ‘જોન્સ એક્ટ’ (Jones Act) આખરે શું છે?

જોન્સ એક્ટ અમેરિકાનો અત્યંત કડક દરિયાઈ કાયદો છે, જે વર્ષ 1920માં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ, અમેરિકાના એક પોર્ટથી બીજા પોર્ટ સુધી માલસામાન લઈ જતું કોઈપણ જહાજ સંપૂર્ણપણે અમેરિકામાં બનેલું હોવું જોઈએ. એટલું જ નહીં, તે જહાજની માલિકી અમેરિકન હોવી જોઈએ અને તેને ચલાવનારો સ્ટાફ પણ અમેરિકાનો હોવો જોઈએ. આ કાયદો અમેરિકાની શિપિંગ ઇન્ડસ્ટ્રીને સુરક્ષિત રાખવા માટે બનાવાયો હતો.

2. ટ્રમ્પ પ્રશાસને આ એક્ટમાં 60 દિવસની છૂટ કેમ આપી?

ટ્રમ્પ પ્રશાસને આ ખાસ છૂટ એટલા માટે આપી છે. જેથી અમેરિકાની અંદર તેલના સપ્લાય ખર્ચમાં તાત્કાલિક ઘટાડો કરી શકાય. ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં વિદેશી જહાજોને અમેરિકન બંદરો વચ્ચે તેલ લઈ જવાની મંજૂરી આપીને, અમેરિકા પોતાની ઘરેલું સપ્લાય ચેનની અડચણો દૂર કરવા અને જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માંગે છે.

3. ઈરાન યુદ્ધને અમેરિકાના આ જોન્સ એક્ટ સાથે શું લેવાદેવા છે?

ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની લગભગ ઠપ થઈ ગઈ છે. ત્યાંથી ક્રૂડ ઓઇલનો પુરવઠો અટકી જતાં દુનિયાભરમાં તેલનું સંકટ સર્જાયું છે. આ અછતને પહોંચી વળવા અમેરિકાએ તેના ઘરેલું તેલ વિતરણને ઝડપી બનાવવું પડે તેમ છે, જેના માટે જોન્સ એક્ટ જેવી કડક પાબંદી હટાવવી અનિવાર્ય હતી.

4. આ છૂટથી તેલ માર્કેટ પર શું અસર પડશે?

અમેરિકા વિશ્વનો સૌથી મોટો તેલ વપરાશકર્તા દેશ છે. હવે તે ઘરેલું પુરવઠા માટે સસ્તા વિદેશી જહાજોનો ઉપયોગ કરશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની અછત ઓછી થશે. ગ્લોબલ સપ્લાય ચેન પરનું દબાણ ઘટતા તેલની કિંમતો પર બ્રેક લાગવાની પૂરી શક્યતા છે.

5. ભારત માટે આ નિર્ણયના સીધા અર્થ શું છે?

ભારત તેની જરૂરિયાતનું 80 ટકાથી વધુ તેલ આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા એ ભારત માટે સંજીવની સમાન છે. જો ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર થાય, તો ભારતનું આયાત બિલ ઘટશે, વિદેશી હૂંડિયામણની બચત થશે અને દેશમાં આર્થિક સ્થિરતા આવશે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો

6. શું ભારતીય શિપિંગ કંપનીઓને આનો સીધો ફાયદો મળશે?

ચોક્કસ! ભારતીય શિપિંગ કંપનીઓ માટે આ એક સુવર્ણ તક છે. 60 દિવસની આ છૂટ દરમિયાન ભારતીય જહાજો પણ અમેરિકન બંદરો વચ્ચે તેલનું પરિવહન કરી શકશે. ભારતીય જહાજોનો ઓપરેટિંગ ખર્ચ અમેરિકન જહાજો કરતા ઓછો હોવાથી તેમને અમેરિકામાં મોટા કોન્ટ્રાક્ટ મળી શકે છે.

7. અમેરિકાના ઘરેલું તેલ પરિવહન સુધરવાથી ભારતને શું સંબંધ?

અમેરિકા મોટું તેલ ઉત્પાદક છે. જો ત્યાં ઘરેલું સ્તરે તેલ સસ્તું અને ઝડપી પહોંચે, તો તેની રિફાઇનરીઓ વધુ તેલ રિફાઇન કરશે. પરિણામે વૈશ્વિક બજારમાં રિફાઇન્ડ તેલનો પુરવઠો વધશે, જે ભારત જેવા દેશો માટે કિંમતો કાબૂમાં રાખવામાં મદદરૂપ થશે.

8. શું ભારત હવે અમેરિકાથી વધુ તેલ આયાત કરશે?

જો આ છૂટને કારણે અમેરિકન એક્સપોર્ટ ટર્મિનલ સુધી તેલ પહોંચાડવું સસ્તું બને અને અમેરિકન તેલની કિંમતો ભારત માટે સ્પર્ધાત્મક રહે, તો ભારત મધ્ય પૂર્વના દેશો પર નિર્ભરતા ઘટાડીને અમેરિકાથી તેલની આયાત ચોક્કસ વધારી શકે છે.

9. ઈરાન સંકટ વચ્ચે શું ભારત માટે આ મોટી રાજદ્વારી રાહત છે?

હા, આ એક મોટી રાજદ્વારી રાહત છે. ઈરાન અને અમેરિકા બંને સાથે ભારતના ગાઢ સંબંધો હોવાથી ભારત પર મોટું દબાણ હોય છે. હોર્મુઝમાં ફસાયેલા જહાજો વચ્ચે અમેરિકાનો આ નિર્ણય ભારતને એક ‘સેફ સ્પેસ’ આપે છે, જ્યાં ભારત કોઈ જૂથમાં પડ્યા વગર આર્થિક લાભ લઈ શકે છે.



Source link

Related Articles

Back to top button