राष्ट्रीय

ભારત-શ્રીલંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં 57 હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો | There was a Ram Setu in the Indian Ocean between India and Sri Lanka 57 thousand years ago



બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટીનું સંયુક્ત સંશોધન

આફ્રિકાથી માણસોનો એક સમૂહ ભારત થઈને હિન્દ મહાસાગરમાંથી આ રસ્તે શ્રીલંકા પહોંચ્યો હોવાના મહત્ત્વના પુરાવા મળ્યાં

નવી દિલ્હી: ભારત-શ્રીલંકાના દરિયામાં રામસેતુ આવેલો છે એને તો કેટલાય વર્ષોથી વૈજ્ઞાાનિક સમર્થન મળી ચૂક્યંસ છે. હવે ડીએનએના આધારે માનવ અસ્તિત્વના જે પુરાવા એકઠા થયા છે એમાં પણ રામસેતુના અસ્તિત્વનો સ્વીકાર થયો છે. એટલું જ નહીં, રામસેતુ છેક ૫૭ હજાર વર્ષ પહેલાં પણ હતો એવું તારણ રજૂ થયું છે. ભારતની બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટી સહિત પાંચ સંસ્થાના સંશોધકોનું આ તારણ ચર્ચાસ્પદ બન્યું છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી અને કોલંબો યુનિવર્સિટી આ સંશોધનમાં મુખ્ય ભૂમિકામાં છે. આ બંને સહિત વિશ્વની પાંચ મહત્ત્વની યુનિવર્સિટીના ૧૬ સંશોધકોએ જેનેટિક્સ સંશોધન કર્યું હતું. એ અહેવાલ આંતરરાષ્ટ્રીય રિસર્ચ જર્નલ પ્લોસ વનમાં પ્રસિદ્ધ થયો છે. અહેવાલ પ્રમાણે જ્યારે માણસોનો સમૂહ આફ્રિકાથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો હતો તે પહેલાં એક જૂથ શ્રીલંકા પહોંચ્યું હતું. ભારતમાંથી હિન્દ મહાસાગરમાં આવેલા ઢાંચાની મદદથી આ જૂથ શ્રીલંકામાં પહોંચ્યું હતું. એ ઢાંચાને આપણે રામસેતુ કહીએ છીએ.

૧૩૯ જીનોમ સિક્વન્સિસના અભ્યાસમાં જણાયું કે શ્રીલંકામાં લોકો કેવી રીતે પ્રવેશ્યા. એના ચાર તબક્કા મળી આવ્યાં. ૫૭ હજાર વર્ષ પૂર્વે માણસો શ્રીલંકા પહોંચ્યા હતા અને તે માટે ભારતથી રામસેતુનો સહારો લીધો હતો. 

તે પછી ૪૦ હજાર વર્ષ પૂર્વેના ગુફામાંથી પુરાવા મળ્યા છે. સંશોધકોએ દક્ષિણ ભારતના લોકો અને શ્રીલંકન લોકોના ડીએનએમાં પણ ઘણું સામ્ય શોધી કાઢ્યું. આ સંશોધનથી માનવ ઈતિહાસમાં નવા પ્રકરણો ખુલશે.

લાંબાં સમયથી એ ચર્ચાનો વિષય રહ્યો છે કે આફ્રિકાથી નીકળેલા માણસો આખી દુનિયામાં ફેલાયા કેવી રીતે? તેનો માર્ગ ક્યો હતો? છેક ઓસ્ટ્રેલિયા અને ઓશિનિયા સુધી માણસ કેવી રીતે પહોંચ્યો? સંશોધનમાં જણાયું કે તેમનો એક રસ્તો જમીની હતો અને બીજો રસ્તો હતો દરિયાકાંઠો. શ્રીલંકામાં ડીએનએનો અભ્યાસ દરિયાકાંઠાના રસ્તાની થિયરીને સમર્થન આપે છે. સંશોધનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ તારણ કાઢવામાં આવ્યું કે સાત હજાર વર્ષ પહેલાં ખેતી, પશુપાલન અને વેપારની પદ્ધતિ વિકસી ચૂકી હતી અને તે વખતે ભારત-શ્રીલંકા વચ્ચે વેપાર થતો હતો. રસપ્રદ બાબત એ પણ છે કે રામનો સમયગાળો સાડા સાત હજારથી ૧૦ હજાર વર્ષ પૂર્વેનો હોય એવું કહેવામાં આવે છે. 



Source link

Related Articles

Back to top button