गुजरात

ઝાલાવાડમાં ધો.10-12ના 32208 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે | 32208 students of Std 10 12 will appear for board exams in Jhalawar



બેસ્ટ
ઓફ લક

આજથી કારકિર્દીની કસોટીનો પ્રારંભ

તમામ
પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
,
૩૪ કેન્દ્રો પર ૧૦૭૮ બ્લોકમાં બોર્ડની પરીક્ષા યોજાશે

સુરેન્દ્રનગર – 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓનો આવતીકાલથી રાજ્યવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે
માટે જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં
આવી છે. જિલ્લાના કુલ ૩૪ કેન્દ્રો પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

સુરેન્દ્રનગર
જિલ્લા પરીક્ષાના સંચાલન માટે જિલ્લાને મુખ્ય ચાર ઝોનમાં વહેંચવામાં આવ્યો છેે. જેમાં
૩૪ પરીક્ષા કેન્દ્રો
, ૧૨૭ બિલ્ડિંગ અને ૧૦૭૮ બ્લોકમાં બોર્ડની પરીક્ષા યોજાશે.  આ વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ મળીને કુલ ૩૨,૨૦૮ પરીક્ષાર્થીઓ છે.  ધ્રાંગધ્રા,
સુરેન્દ્રનગર, પાટડી, થાન,
લખતર, ચોટીલા, માલવણ,
રાજસીતાપુર, ઝીંઝુવાડા, સોલડી,
વઢવાણ, લીંબડી, મુળી,
વણા, સાયલા, ચુડા,
સરા, ખોલડીયાદ, શિયાણી,
ધજાળા સહિતના ગામોમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.

તમામ
પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા
,
વર્ગ ૦૨ના ૩૦થી વધુ અધિકારીઓ ખડે પગે હાજર રહેશે આ ઉપરાંત ફ્લાઈંગ
સ્ક્વોડની ટીમ પણ સતત વોચ રાખશે.

તેમજ
,૦૦૦
જેટલા પોલીસ કર્મચારીઓ અને ૨
,૦૦૦ જેટલા શિક્ષણ વિભાગના
કર્મચારીઓને તૈનાન રહેશે.

તમામ
કેન્દ્રો પર પીવાના પાણી અને સેનિટેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઈમરજન્સી માટે નજીકના આરોગ્ય સેન્ટરના નંબર અને માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ
માટે મનોવૈજ્ઞાાનિકોના હેલ્પલાઈન નંબર સેન્ટરો પર ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.

 

સુરેન્દ્રનગર
જિલ્લામાં વિદ્યાર્થીઓ

ધોરણ  પ્રવાહ  પરીક્ષાર્થીઓ

ધો.૧૦  એસએસસી     ૨૦,૦૧૪

ધો.૧૨  સામાન્ય        ૧૦,૯૨૩

ધો.૧૨  વિજ્ઞાાન       ૧,૨૭૧

કુલ
પરીક્ષાર્થીઓ        ૩૨
,૨૦૮

 

——————-

નીચેની
મેટર લેવાની નથી

——————–

ચાર
ઝોનમાં ૩૪ કેન્દ્રો પર પરીક્ષાનો એક્શન પ્લાન

સુરેન્દ્રનગર
જિલ્લામાં આજથી ધો.૧૦-૧૨ના ૩૨
,૨૦૮ વિદ્યાર્થીઓની કારકિર્દીની કસોટી

તમામ
પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
,
૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો પર પ્રતિબંધ સહિતનું
જાહેરનામું

———–

વધુમાં
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા
જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં
ત્રણથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મુકાયો છે. કેન્દ્રની આસપાસની ઝેરોક્ષ
અને ફેક્સની દુકાનો પરીક્ષા દરમિયાન બંધ રહેશે. મોબાઈલ ફોન
, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ
જવા પર સખત મનાઈ છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર પોલીસ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે.

 



Source link

Related Articles

Back to top button