गुजरात

રાજ્યમાં કોરોના વાયરસના નવા 346 કેસ, 602 દર્દીઓ સાજા થયા

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 346 કેસ નોંધાયા છે. જેની સામે 602 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે બે દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4384 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા છે. રાજયમાં આજે 59,893 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,55,802 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 78, સુરતમાં 50, વડોદરામાં 81, રાજકોટમાં 49, ગાંધીનગર, ભરુચમાં 8-8, આણંદ, સાબરકાંઠામાં 7-7, અમરેલીમાં 6, જામનગર, ખેડામાં 5-5 સહિત કુલ 346 કેસ નોંધાયા છે.

Related Articles

Back to top button