गुजरात
અબડાસા ના તેરા રોડ થી સણસરા રોડ ઉપર બનાવેલ પુલો ના કામોમા મસ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
એકજ વરસાદ માં ભ્રષ્ટાચાર ની તિરાડો જોવા મળી
અબડાસા
રિપોર્ટર – રમેશભાઈ ભાનુશાલી
અબડાસા તાલુકાના તેરા રોડથી સણસરા ઉપર બાર માસ પહેલા બનાવેલ પુલ માં મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલો હોય તેવું લાગી રહ્યું છે આ પુલ માં વચમાંથી મોટી તિરાડો પડી છે તો અમુક પુલ ની સાઈટો બેસી ગઈ છે સરકારી નિયમ મુજબ આ પુલ માં માલસામાન સરકારી નીયમ કરતા ઓછુ નાખવામાં આવેલ છે તેના કારણે પુલો ની સાઇટો બેશી ગઇ છે ઘણા વર્ષથી આ વિસ્તારના લોકોનું એવું સપનું હતું કે નલીયા થી દેસલપર રોડ સારુ બની જશે અને લોકોને આવા જવામાં કોઇ તકલીફ નહીં થાય રોડ તો સારો બની ગયો પણ પુલ ની એવી પરિસ્થિતિ છે આપણે જોઈને વિચાર આવે આવા કોન્ટ્રાક્ટ કેવી રીતે આવા ખરાબ પુલ નુ આવુ ખરાબ કામ કયુ છે હજી તો એક વર્ષ પણ નથી થયો પુલને બનાવ્યા ને તિરાડો પડવાથી વાહન ચાલક ને જાન માલ નું નુકસાન થાય તો જવાબદાર કોણ