गुजरात

રાજ્યમાં નવા 268 કેસ, આજે 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 268 કેસ નોંધાયા છે. જેની સામે 281 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4400 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.67 ટકા છે. રાજયમાં આજે 25,823 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 7,67,611 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 60, સુરતમાં 36, વડોદરામાં 53, રાજકોટમાં 46, આણંદમાં 8, ખેડા, જામનગર, ગાંધીનગરમાં 7-7 સહિત કુલ 268 કેસ નોંધાયા છે. આજે અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ એમ કુલ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

Related Articles

Back to top button