राष्ट्रीय

‘આત્મનિર્ભર ભારત’ની મોટી તૈયારી : સમુદ્રમાં MARCOS દુશ્મનોનો ખાતમો કરશે, નૌસેના ખરીદશે સબમરીન | Indian Navy To Buy Midget Submarines For MARCOS Commandos Under Atmanirbhar Bharat


Indian Navy To Buy Midget Submarines : ભારતીય નૌસેનાએ પોતાની વિશેષ દરિયાઈ ઓપરેશન ક્ષમતાઓને મજબૂત કરવા માટે 2 મિની સબમરીનની ખરીદીની દિશામાં આગળ વધી રહી છે. આ માટે નૌસેનાએ યુરોપની ઘણી સંરક્ષણ કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. હવે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ નૌસેના એકવાર ફરી મિની સબમરીનને લઈને આગળ વધી રહી છે. આ મિની સબમરીન ભારતીય નૌસેનાને દરિયાકાંઠાના વિસ્તારો, ટાપુઓ અને સંવેદનશીલ દરિયાઈ ક્ષેત્રોમાં વિશેષ ઓપરેશન્સ માટે મોટી વ્યૂહાત્મક લીડ આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતના તબક્કામાં 2 સબમરીન ખરીદવાની યોજના છે, પરંતુ ભવિષ્યમાં ભારતીય નૌસેના આવી 5 કે તેથી વધુ મિની સબમરીન સામેલ કરી શકે છે.

આ સબમરીનનો ઉપયોગ નૌસેનાના વિશેષ દળ MARCOS (મરીન કમાન્ડો) ગુપ્ત ઓપરેશન્સ, જાસૂસી મિશન અને દુશ્મનના વિસ્તારમાં વિશેષ કાર્યવાહી માટે કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મિની સબમરીન ‘સ્વિમર ડિલિવરી વ્હીકલ’ (SDV) અથવા ‘સ્પેશિયલ ઓપરેશન્સ વેસલ’ (SOV) ના રૂપમાં કામ કરશે. આની મદદથી MARCOS કમાન્ડો સમુદ્રની અંદરથી ચૂપચાપ લક્ષ્યની નજીક પહોંચી શકશે અને મિશનને અંજામ આપીને કોઈને પણ ભનક લાગ્યા વગર પાછા ફરી શકશે.

બે અગ્રણી શિપબિલ્ડિંગ કંપનીઓ સાથે વાતચીત શરૂ

ભારતીય નૌસેનાએ આ પ્રોજેક્ટ માટે દેશની બે અગ્રણી શિપબિલ્ડિંગ કંપનીઓ – Mazagon Dock Shipbuilders Limited (MDL) અને Larsen & Toubro (L&T) સાથે પણ વાતચીત શરૂ કરી છે. MDL એ ‘અરોવાના’ (Arowana) નામનો પ્રોટોટાઈપ વિકસાવ્યો છે, જ્યારે L&T એ SOV-400 ડિઝાઇન તૈયાર કરી છે. આ ઉપરાંત ઇટાલીની ડિફેન્સ કંપની Fincantieri અને Drass સહિત ઘણી યુરોપિયન કંપનીઓની ડિઝાઇન પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. નૌસેના આ વિદેશી અને સ્વદેશી વિકલ્પોનું મૂલ્યાંકન તેમની તકનીકી ક્ષમતા, છીછરા દરિયાઈ વિસ્તારોમાં ઓપરેશન અને સ્પેશિયલ ફોર્સની જરૂરિયાતોને આધારે કરી રહી છે.

'આત્મનિર્ભર ભારત'ની મોટી તૈયારી : સમુદ્રમાં MARCOS દુશ્મનોનો ખાતમો કરશે, નૌસેના ખરીદશે સબમરીન 2 - image

કેવી હોય છે મિની સબમરીન?

મિની સબમરીન સામાન્ય યુદ્ધક સબમરીનની સરખામણીમાં ઘણી નાની હોય છે. તેમનું વજન લગભગ 150 થી 550 ટન સુધી હોઈ શકે છે, અને તે 8 થી 20 કમાન્ડોને લઈ જવા માટે સક્ષમ હોય છે. તેમાં ઓછો અવાજ પેદા કરતી ટેકનોલોજી, આધુનિક સેન્સર્સ અને છીછરા દરિયાઈ વિસ્તારોમાં સરળતાથી ઓપરેટ કરવાની ક્ષમતા હોય છે. ભારતમાં આવી સબમરીનની જરૂરિયાત પહેલીવાર 2008 ના મુંબઈ આતંકવાદી હુમલા (26/11) પછી અનુભવાઈ હતી. જોકે 2009 માં શરૂ થયેલી ખરીદી પ્રક્રિયા ઘણી તકનીકી અને ભાગીદારી સંબંધિત પડકારોને કારણે આગળ વધી શકી નહોતી.



Source link

Related Articles

Back to top button