राष्ट्रीय

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack On TMC MP Abhishek Banerjee Sparks Political Row Congress SP Support Mamata Outraged



TMC MP Abhishek Banerjee Attack : પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનરજી પર થયેલા હુમલા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પછીની હિંસાના પીડિત પરિવારને મળવા પહોંચેલા અભિષેક બેનરજી પર ભીડે હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમના કપડાં ફાડી નખાયા, ચશ્મા તોડી નખાયા. સુરક્ષાકર્મીઓએ સમયસર હેલમેટ પહેરાવતા તેમનો જીવ બચી ગયો છે. આ હુમલાના વિરોધમાં હવે આખો વિપક્ષ એક થઈ ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ટીએમસીને સાથ આપતાં ભાજપની આકરી નિંદા કરી છે. વિપક્ષનો સીધો આરોપ છે કે, આટલા મોટા સાંસદની સુરક્ષામાં પોલીસનું હાજર ન હોવું તે અત્યંત ગંભીર બાબત છે. હાલ વિસ્તારમાં તણાવને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ભાજપને શરમ આવવી જોઈએ : મમતા

પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સત્તાધારી ભાજપને ઘેરતા સીધું જ કહ્યું કે, ‘શાસકો હવે પોતે જ હત્યારા બની ગયા છે. ભાજપને આ હરકત પર શરમ આવવી જોઈએ.’

મારા પર હુમલાનું ભાજપનું ષડયંત્ર : અભિષેક

હુમલાનો ભોગ બનેલા અભિષેક બેનરજીએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આ હુમલો સંપૂર્ણપણે ભાજપ દ્વારા આયોજિત પ્લાન હતો. હુમલાખોરો તેમને જાનથી મારી નાખવા માંગતા હતા, જેનો વીડિયો રેકોર્ડિંગ પણ તેમની પાસે છે. તેઓ આ મામલાને લઈને હાઈકોર્ટ અને રાજ્યપાલ પાસે જશે.

આ પણ વાંચો : VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો જીવ

આ બદલાની રાજનીતિ : ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ, આ ઘટનાને સંપૂર્ણપણે બદલાની રાજનીતિ ગણાવી છે. ખડગેનું કહેવું છે કે વિપક્ષના આટલા મોટા નેતાને સુરક્ષા ન આપવી એ સ્પષ્ટપણે હેરાન કરવાનો એક પ્રયાસ છે.

પોલીસ ગાયબ, મોટા ષડયંત્રની આશંકા : અખિલેશ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ એક્સ હેન્ડલ પર સરકારને ઘેરતા લખ્યું કે, બંગાળની અરાજક ભાજપ સરકાર નફરતની રાજનીતિ સિવાય બીજું કંઈ કરી શકતી નથી. આવા સંવેદનશીલ વાતાવરણમાં પોલીસનું ગાયબ રહેવું એ કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે.

ભાજપે વિપક્ષના આક્ષેપો નકાર્યા

બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે, આ સ્થાનિક લોકોનો વિરોધ હતો, જેને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે જણાવ્યું કે ચૂંટણી પહેલા અભિષેક બેનરજીએ ખુલ્લેઆમ ભાજપના કાર્યકરોને ધમકાવ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહનું નામ લઈને પડકાર ફેંક્યો હતો. જ્યારે મુખ્યમંત્રી શુભેન્દુ વિપક્ષના નેતા હતા, ત્યારે તેમની ગાડી પર વારંવાર હુમલા થયા હતા અને તેની પાછળ અભિષેક બેનરજીનું નેટવર્ક હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેમ છતાં હું અપીલ કરું છું કે બંગાળની રાજનીતિ સુધરવી જોઈએ અને તે હિંસા મુક્ત બનવી જોઈએ.

આ પણ વાંચો : VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત



Source link

Related Articles

Back to top button