राष्ट्रीय

તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tamil nadu political crisis vijay claims government formation congress mlas hyderabad



Tamil Nadu Politics : તમિલનાડુમાં નવી સરકાર રચવાને લઈને ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે, કોંગ્રેસે અભિનેતા અને રાજનેતા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્રી કઝગમ’ને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે, તેમ છતાં ધારાસભ્યોને અન્ય રાજ્યમાં ખસેડવામાં આવતા રાજકારણ તેજ બન્યું છે. 

વિજયે આજે ફરી રજૂ કર્યો સરકાર રચવાનો દાવો

TVK પ્રમુખ વિજયે શુક્રવારે અનેક વિરોધ પક્ષોનું સમર્થન મેળવ્યા બાદ તમિલનાડુમાં સરકાર બનાવવાનો ઔપચારિક દાવો રજૂ કર્યો છે. વિજયે ચેન્નાઈના રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી અને સહયોગી પક્ષો તેમજ અપક્ષ સમર્થકોના સમર્થન પત્ર સોંપ્યા હતા. 

વિજયની શપથવિધિ પર સસ્પેન્સ

તમિલનાડુ રાજકારણમાં થલાપતિ વિજયની શપથવિધિ પહેલા જ મોટો ‘ક્લાઈમેક્સ’ આવ્યો છે. શનિવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા વિજયની રાહમાં હવે મુશ્કેલીઓ ઊભી થઈ છે. સત્તાના ગઠબંધનમાં સામેલ VCKએ ડેપ્યુટી CM પદની માંગણી કરીને વિજયના ગણિત બગાડ્યા છે.

બે પક્ષ તરફથી સમર્થન પત્ર અટક્યા, રાજભવનમાં સસ્પેન્સ

તાજેતરની વિગતો મુજબ, રાજ્યપાલ આર.વી. અર્લેકરને હજુ સુધી VCK અને IUMLના ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થન પત્ર મળ્યા નથી. વિજયે અત્યાર સુધી માત્ર 116 ધારાસભ્યોનું સમર્થન રજૂ કર્યું છે, જેમાં તેમની પોતાની પાર્ટી TVK (107), કોંગ્રેસ (5) અને ડાબેરી પક્ષો (4) નો સમાવેશ થાય છે. બહુમતી માટે 117નો આંકડો જરૂરી છે, અને વિજય અત્યારે મેજિક ફિગરથી માત્ર 1 ડગલું દૂર છે. 

VCKની ‘ડેપ્યુટી CM’ની શરત

સૂત્રોના જણાવ્યા અનુસાર, VCK એ સરકારમાં હિસ્સો મેળવવા માટે ડેપ્યુટી CM પદની જીદ પકડી છે. જ્યાં સુધી આ પદ અંગે સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી તેઓ સમર્થન પત્ર સોંપવા તૈયાર નથી. રાજભવન અત્યારે આ બાકી રહેલા પત્રોની રાહ જોઈ રહ્યું છે, જેના કારણે શપથ ગ્રહણના સત્તાવાર સમયની જાહેરાત હજુ સુધી થઈ શકી નથી.

ઐતિહાસિક જીત છતાં પડકારો

વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને વિજયે ઇતિહાસ રચ્યો છે (વિજય બે બેઠકો પરથી લડ્યા હોવાથી પક્ષની સંખ્યા 107 ગણાશે). અભિનેતામાંથી નેતા બનેલા વિજય માટે જનતામાં ભારે ઉત્સાહ છે, પરંતુ ગઠબંધનની રાજનીતિમાં પહેલા જ દિવસે તેમને કડક પરીક્ષાનો સામનો કરવો પડી રહ્યો છે. આ શપથવિધિ સમારોહમાં રાહુલ ગાંધી પણ હાજર રહે તેવી શક્યતા છે, પરંતુ અત્યારે તમામની નજર VCK ના આગામી પગલા પર છે.



Source link

Related Articles

Back to top button