મહિલાઓ પર હોટલમાં આવવા દબાણ કરાતું! TCS નાસિક ધર્મ પરિવર્તન કેસમાં નવા આરોપ | tcs nashik sexual harassment religious conversion syndicate sit investigation news

![]()
TCS Religious Conversion Scandal: દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક યુનિટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે સમગ્ર કોર્પોરેટ જગતને હચમચાવી દીધું છે. કંપનીના ભૂતપૂર્વ મહિલા કર્મચારીઓએ ટીમ લીડર્સ (TL) પર માનસિક ઉત્પીડન, યૌન શોષણ અને પદ્ધતિસરનું ધર્મ પરિવર્તનનું સિન્ડિકેટ ચલાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
ઓફિસના ફ્લોર પર ચાલતી હતી પેરેલલ સિસ્ટમ!
એક ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે, ટીમ લીડર્સ ઓફિસ ડેસ્કનો ઉપયોગ કામ માટે નહીં, પરંતુ મહિલા કર્મચારીઓના માનસિક અને નૈતિક શોષણ માટે કરતા હતા. મહિલાઓને TL ડેસ્ક પર બોલાવીને એવી ગંદી અને અશ્લીલ ભાષામાં વાત કરવામાં આવતી જેની કોઈ વ્યાવસાયિક ઓફિસમાં કલ્પના પણ ન કરી શકાય.
ધાર્મિક અત્યાચાર
મુખ્ય આરોપી તૌસીફ અત્તાર હિન્દુ ધર્મ અને પરંપરાઓની મજાક ઉડાવતો હતો. મહિલાઓ જ્યારે તહેવારો પર સાડી કે બિંદી લગાવીને આવતી ત્યારે તેમના પહેરવેશ અને ધર્મ પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. સુરક્ષાના નામે કર્મચારીઓના ફોન, બેગ અને લંચ બોક્સ પણ ઓફિસ ફ્લોરની બહાર રખાવવામાં આવતા હતા, જેથી અંદર થતી પ્રવૃત્તિઓ ઓફ ધ રેકોર્ડ રહે.
ધર્મ પરિવર્તન અને હોટેલ બુકિંગનું નેટવર્ક
મહિલા કર્મચારીએ એવો પણ દાવો કર્યો કે, કૃષ્ણા નામના એક સાથીદાર, જે રૂદ્રાક્ષની માળા પહેરતા હતા, તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવાયું હતું. અન્ય આરોપીઓ ડેનિશ અને રઝા ઓફિસમાં બેસીને જ વીકેન્ડ માટે હોટેલ્સ અને રિસોર્ટ બુક કરતા હતા અને યુવતીઓ પર ત્યાં આવવા માટે દબાણ કરતા હતા.
આ પણ વાંચો:
SIT ની રચના અને 7 ની ધરપકડ
નાસિક પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. ફેબ્રુઆરી 2022 થી માર્ચ 2026 દરમિયાન થયેલા શોષણ મામલે 8 મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં 7 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. TCS એ આ તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે અન્ય એક મહિલા કર્મચારી હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.
ધરપકડ કરાયેલા આરોપીઓ
ડેનિશ શેખ
તૌસીફ અત્તાર
રઝા મેમણ
શાહરૂખ કુરેશી
શફી શેખ
આસિફ આફતાબ અંસારી
નિદા ખાન (HR મેનેજર)
સુપ્રીમ કોર્ટમાં પિટિશન
આ મામલે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને છેતરપિંડીથી થતા ધર્મ પરિવર્તન પર અંકુશ લાવવાની માંગ કરી છે. અરજીમાં જણાવાયું છે કે નાસિકની આ ઘટનાએ દેશના નાગરિકોના અંતરાત્માને હચમચાવી દીધો છે અને તે રાષ્ટ્રીય અખંડિતતા માટે ખતરો છે.



