બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે | kedarnath pilgrimage sara ali khan affidavit of being a sanatani

![]()
Chardham Yatra: બદ્રીનાથ અને કેદારનાથ ધામ અને સંબંધિત મંદિરોમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓ હવે લેખિત શરત સાથે પ્રવેશ કરી શકશે, તેના માટે તેમણે એક એફિડેવિટ (સોગંદનામું) અથવા લેખિત ઘોષણા આપવી પડશે કે તેઓ હિન્દુત્વ અને સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આ વાત બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી. આ અગાઉ સમિતિની બોર્ડ બેઠકમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બિન-સનાતનીઓના પ્રવેશ પર આંશિક રોક સાથે શરતી મંજૂરી
મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં બિન-સનાતનીઓનો પ્રવેશ વર્જિત રહેશે. પણ જો એફિડેવિટ (સોગંદનામું) અથવા લેખિત ઘોષણા આપશે કે હિન્દુત્વ અને સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે તો જ દર્શન માટે એન્ટ્રી મળશે.
અભિનેત્રી સારા અલી ખાન અંગે શું નિર્ણય?
અભિનેત્રી સારા અલી ખાન ઘણી વખત કેદારનાથ ધામના દર્શને આવી ચૂકી છે. તેની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ પણ અહીં જ થયું હતું, જેના કારણે તેને આ ધામ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે હવે સારા અલી ખાને પ્રવેશ માટે શું કરવું પડશે, ત્યારે મંદિર સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે તેમણે પણ અન્ય લોકોની જેમ લેખિતમાં આપવું પડશે કે તેઓ હિન્દુત્વ અને સનાતન ધર્મમાં આસ્થા ધરાવે છે, તો જ તેઓ દર્શન કરી શકશે.
સોગંદનામાનું ફોર્મેટ ઉપલબ્ધ કરાવાશે
પ્રેસ કોન્ફરન્સમાં બિન-સનાતનીઓના પ્રવેશ સંબંધિત પ્રશ્ન પર હેમંત દ્વિવેદીએ કહ્યું કે, જે લોકો હિન્દુ ધર્મ અને સનાતન પરંપરાઓમાં આસ્થા રાખે છે અને તે લેખિતમાં આપવા તૈયાર છે, તેઓ ધામમાં આવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મંદિર સમિતિ આ શપથ પત્ર (સોગંદનામું)નું ફોર્મેટ ઉપલબ્ધ કરાવશે.
આસ્થાની પુષ્ટિ કરવી જરૂરી
હાલમાં મળેલી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિની બોર્ડ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધામોમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવે. ત્યારબાદ સમિતિના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે શ્રદ્ધાળુઓની આસ્થાની પુષ્ટિ માટે શપથ પત્રની વ્યવસ્થા કરવામાં આવશે. આ શપથ પત્ર મંદિર પરિસરમાં જ ઉપલબ્ધ રહેશે, જેથી ઈચ્છુક શ્રદ્ધાળુઓ ત્યાં જ તેને ભરી શકે.
મોબાઈલ પર પ્રતિબંધ
SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) હેઠળ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. હાલમાં, મંદિરથી 50 થી 60 મીટરની મર્યાદામાં આ પ્રતિબંધ લાગુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચારધામ યાત્રા માટે મંદિરો ખુલવાની તારીખો
ચારધામ તીર્થયાત્રા સત્તાવાર રીતે 19 એપ્રિલથી શરૂ થશે. આ તારીખે યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. ત્યારબાદ 22 એપ્રિલે કેદારનાથ મંદિરના કપાટ ખુલશે અને 23 એપ્રિલે બદ્રીનાથ મંદિરના કપાટ ખુલશે.
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ સાથે જોડાયેલા મંદિર/કુંડ/સમાધિનું લિસ્ટ
કેદારનાથ ધામ
બદ્રીનાથ ધામ
તુંગનાથ ખાતે શ્રી તુંગનાથ મંદિર
બદ્રીનાથ ખાતે માતા મૂર્તિ મંદિર
બદ્રીનાથ ખાતે બ્રહ્મ કપાલ શિલા અને પરિક્રમા સંકુલ
સુભાઈ ખાતે ભવિષ્ય બદ્રી મંદિર
બદ્રીનાથ ખાતે તપ્ત કુંડ (પૂલ અને ગરમ ઝરણું)
જોશીમઠમાં નરસિંહ મંદિર
ઉર્ગમ ખાતે ધ્યાન બદ્રી મંદિર
મધ્યમહેશ્વર ખાતે શ્રી મધ્યમહેશ્વર મંદિર
ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર
પાંડુકેશ્વર ખાતે યોગ બદ્રી મંદિર
ગૌરીકુંડ ખાતે શ્રી ગૌરી મૈયા મંદિર
બદ્રીનાથ ખાતે શ્રી આદિ કેદારેશ્વર મંદિર
જયોતિરેશ્વર ખાતે મહાદેવ મંદિર
અનિમથ ખાતે વૃધ્ધ બદ્રી મંદિર
બદ્રીનાથ પુરીમાં પંચ શિલા
બદ્રીનાથ પુરીમાં પંચ ધારા
શ્રી કેદારનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો
ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો
ઉખીમઠ ખાતે ઓમકારેશ્વર મંદિર
ત્રિયુગીનારાયણ ખાતે શ્રી ત્રિયુગીનારાયણ મંદિર
કાલિશિલા ખાતે કાલિશિલા મંદિર
વસુંધારા
વસુંધારા ધોધ નીચે ધર્મશિલા
કેદારનાથમાં ઉદક કુંડ
ઉખીમઠમાં શ્રી ઉષા દેવી મંદિર
ઉખીમઠમાં શ્રી બારાહી દેવી મંદિર
બદ્રીનાથમાં શ્રી વલ્લભાચાર્ય મંદિર
વિષ્ણુપ્રયાગમાં નારાયણ મંદિર
સીતા દેવી મંદિર
પાખીમાં શ્રી નરસિંહ મંદિર
દરમીમાં શ્રી નરસિંહ મંદિર
નંદપ્રયાગમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
કુલસારીમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
દ્વારહાટ(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
ગુડારી(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર
કાલીમઠમાં શ્રી મહાકાલી મંદિર
કાલીમઠમાં શ્રી મહાલક્ષ્મી મંદિર
કાલીમઠમાં શ્રી મહાસરસ્વતી મંદિર
જોશીમઠમાં શ્રી દુર્ગા મંદિર
જ્યોતિર્શ્વરમાં ભક્તવત્સલ મંદિર
કેદારનાથમાં માતા પાર્વતી મંદિર
કેદારનાથમાં ઈશાનેશ્વર મંદિર
કેદારનાથમાં ગણેશ મંદિર
કેદારનાથમાં હંસા કુંડ
કેદારનાથમાં રેતસ કુંડ
કેદારનાથમાં શંકરાચાર્ય સમાધિ/ શ્રી ભૈરવનાથ મંદિર



