राष्ट्रीय

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annual Pass Fees Hike: New Rates Apply from April 1 Traveling on Highways to be Costlier



FASTag Annual Pass Fees Hike : કેન્દ્ર સરકાર પ્રાઈવેટ વાહનોમાં ઉપયોગ થતા ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ તેનો ચાર્જ 3000 રૂપિયાથી વધીને 3075 રૂપિયા થઈ ગયો છે. સરકારે કહ્યું છે કે, પહેલી એપ્રિલ પહેલા પાસ ખરીદનારાઓને 3000 રૂપિયા જ ખર્ચવા પડશે, જોકે તે બાદ વધારો લાગુ થશે.

ગયા વર્ષે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત થઈ હતી

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગયા વર્ષે 15 ઓગસ્ટે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત કરી હતી. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ કરી શકે છે.

આ પણ વાંચો : એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

પહેલી એપ્રિલ નવો દર લાગુ

અધિકારીઓએ કહ્યું કે, મંત્રાલયે ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ની શરૂઆત કરી હતી, ત્યારે દર વર્ષે તેની કિંમતમાં ફેરફાર કરવાનો નિયમ પણ બનાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે, ‘દેશભરના હાઈવે ટોલ ફીની કિંમતોમાં ફેરફાર કરવાની ફોર્મ્યૂલાના આધારે આ વધારો કરવામાં આવ્યો છે અને તે દર વર્ષે વધે છે. નવો વધારો પહેલી એપ્રિલથી લાગુ થવાનો છે, તેથી આ મહિને રૂપિયા 3000માં રિચાર્જ કરાવી શકાશે, ત્યારબાદ પહેલી એપ્રિલથી 75 રૂપિયા વધુ ચુકવવા પડશે. એટલે કે પછી ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ રૂપિયા 3075માં રિચાર્જ કરાવવું પડશે.

52 લાખ લોકો પર નવા વધારની અસર 

52 લાખ લોકો પર પાસમાં નવા વધારાની અસર પડશે. જોકે રાહતની વાત એ છે કે, તેમાં માત્ર 2.5 ટકાનો સામાન્ય વધારો કરાયો છે. વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ વાહનો નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી એક વર્ષની રહેશે. આ દરમિયાન વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ કરી શકશે. જો તેનાથી ઉપર જશે તો ફરી પાસ રિચાર્જ કરાવવાનો રહેશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે. 

આ પણ વાંચો : PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત



Source link

Related Articles

Back to top button