राष्ट्रीय

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Bengal



– મમતાએ રાષ્ટ્રપતિનું સ્વાગત ના કર્યું, કાર્યક્રમ સ્થળ પણ બદલી નાખ્યું : ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં નવો વિવાદ

– કાર્યક્રમમાં બહુ જ પાંખી હાજરી, મમતા, રાજ્યના મંત્રીઓ હાજર ના રહેતા રાષ્ટ્રપતિએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી

– આદિવાસી સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિજીનું બંગાળ સરકારે માન ન જાળવ્યું  તેનાથી દેશ દુ:ખી છે : પીએમ મોદી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્વે નવો વિવાદ સામે આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંગાળમાં પોતાના કાર્યક્રમમાં આદિવાસીઓની પાંખી હાજરીને કારણે નિરાશ થયા હતા, સાથે જ તેમના સ્વાગત દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, રાજ્યના મંત્રીઓની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સૌથી મોટો વિવાદ રાષ્ટ્રપતિના કાર્યક્રમનું સ્થળ બિધાનનગરથી બદલીને બાગડોગરા નક્કી કરવાને લઇને સામે આવ્યો છે. તેથી હાલ બંગાળમાં રાષ્ટ્રપતિ મુર્મુ અને મુખ્યમંત્રી મમતા વચ્ચે સામસામે કેટલાક આક્ષેપો પણ થઇ રહ્યા છે.  

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા હતા, તેમણે બાગડોગરા એરપોર્ટ પાસે આદિવાસીઓના કાર્યક્રમને સંબોધ્યો હતો, જે દરમિયાન સીધા મુખ્યમંત્રી મમતા બેનરજી પર આરોપો લગાવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના કાર્યક્રમમાં આવેલા લોકોને કહ્યું હતું કે સામાન્ય રીતે જ્યારે રાષ્ટ્રપતિ કોઇ રાજ્યની મુલાકાત લે છે ત્યારે તે રાજ્યના મુખ્યમંત્રી સ્વાગત કરે છે, આ દરમિયાન અન્ય મંત્રીઓ પણ હાજર રહેતા હોય છે. પરંતુ મારુ સ્વાગત કરવા માટે મમતા બેનરજી નહોતા આવ્યા. આ કાર્યક્રમ બિધાનનગરમાં યોજાયો હોત તો વધુ સારુ  થાત, વધુ લોકો કાર્યક્રમમાં આવી શક્યા હોત પરંતુ ખબર નહીં કેમ પ્રશાસને ત્યાં કાર્યક્રમ યોજવાની મંજૂરી ના આપી. કદાચ રાજ્ય સરકાર આદિવાસીઓની સુખાકારી નથી ઇચ્છી રહી, એટલે જ કદાચ તેમને આવતા રોકવામાં આવ્યા. આ સાથે જ રાષ્ટ્રપતિ મુર્મુએ બંગાળમાં આદિવાસીઓના વિકાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે મને નથી લાગી રહ્યું કે બંગાળમાં આદિવાસીઓનો વિકાસ થઇ રહ્યો છે. જ્યારે અહીંના આદિવાસીઓએ દેશના વિકાસમાં બહુ મોટું યોગદાન આપ્યું છે.  

રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે મમતા બેનરજી મારા નાના બહેન જેવા છે, હું પણ બંગાળની પુત્રી છું, પરંતુ મને એ નથી સમજાતું કે મને બંગાળમાં આવતા કેમ રોકવામાં આવી? અગાઉ રાષ્ટ્રપતિનો કાર્યક્રમ શિલિગુડીના બિધાનનગરમાં યોજાવાનો હતો જોકે સુરક્ષા અને અન્ય કારણોસર કાર્યક્રમને બાદમાં બાગડોગરા એરપોર્ટ પાસે ગોશાઇપુરમાં યોજવામાં આવ્યો હતો. શનિવારે જ્યારે રાષ્ટ્રપતિ આ સ્થળે પહોંચ્યા ત્યારે બહુ જ ઓછા લોકો ત્યાં હાજર હતા, તેમનું સ્વાગત કરવા માટે પણ એરપોર્ટ પર માત્ર શિલિગુડીના મેયર ગૌતમ દેબ જ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સ્થાનિક આદિવાસીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.  રાષ્ટ્રપતિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા સરકાર પર પ્રહારો કર્યા હતા. મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આદિવાસી સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિ દ્વારા જે દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે તેની ભારતના લોકોના મન પર ગંભીર અસર પહોંચી છે, રાષ્ટ્રપતિનું અપમાન શરમજનક છે.



Source link

Related Articles

Back to top button