राष्ट्रीय

અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલન’ | Congress to Hold Kisan Sammelan Against India US Trade Deal Rahul Gandhi to Lead Protest in 6 State



Congress Kisan Sammelan 2026 : કોંગ્રેસે ભારત-અમેરિકા વેપાર સમજૂતીનો વિરોધ કરવા માટે જુદા જુદા રાજ્યોમાં ‘ખેડૂત સંમેલન’નું આયોજન કરશે. ભારત-અમેરિકા વચ્ચે તાજેતરમાં જ ટ્રેડ ડીલ થયા બાદ કોંગ્રેસ આક્રમક બની ગઈ છે. આ ડીલના કારણે ખેડૂતોને નુકસાન થયું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આ સાથે કોંગ્રેસે અનેક ખેડૂતો નેતાઓ સાથે પણ બેઠકોનો દોર ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ ખેડૂત સંમેલન યોજીને ખેડૂતોને સમજાવશે કે, આ સમજૂતીથી તેમની આજીવિકા પર નકારાત્મક અસર પડવાની છે.

કોંગ્રેસની બેઠકમાં ‘ખેડૂત સંમેલન’ યોજવાનો નિર્ણય

ટ્રેડ ડીલને મામલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી છે, જેમાં વિવિધ રાજ્યોમાં ખેડૂત સંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં આ રાજ્યોના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતાઓ પણ સામેલ થયા છે.

ખડગેનું ટ્વિટર, ગામ-ગામ સુધી મુદ્દો પહોંચાડીશું

ખડગેએ ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘આજે છ રાજ્યોના નેતાઓ સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી છે. બેઠકમાં ભારત-અમેરિકાના ટ્રેડ ડીલ પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે. એ વાત સ્પષ્ટ છે કે, મોદી સરકારે આ ટ્રેપ ડીલ કરીને ખેડૂતોના હિતો સાથે સમજૂતી કરી છે. કોંગ્રેસ ખેડૂતોના હકની સુરક્ષા કરવા માટે કિસાન સંમેલનનું આયોજન કરશે અને અમે ગામે-ગામ સુધી આ મુદ્દાને લઈને જઈશું.’

કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્લાન તૈયાર

બેઠક બાદ કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે, ‘કોંગ્રેસ દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ ભોપાલમાં પ્રથમ ખેડૂત સંમેલન યોજાશે, ત્યારબાદ સાતમી માર્ચે મહારાષ્ટ્રના યવતમાલામાં અને માર્ચમાં જ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં સંમેલનનું આયોજન કરાશે. આ સંમેલનમાં ખડગે અને રાહુલ ગાંધી સામેલ થશે.’ આ દરમિયાન ટ્રેડ ડીલનો ઉગ્ર વિરોધ કરવાની સાથે ખેડૂતોને તેનાથી થતા નુકસાનની માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો : AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેખાવો કરતાં ભાજપ ભડક્યું, રાહુલ-સોનિયા-પ્રિયંકા પર કર્યા આકરા પ્રહાર

બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી ? જયરામ રમેશે આપી માહિતી

જયરામ રમેશે ખેડૂત અને વિવિધ રાજ્યોના નેતાઓ સાથે યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ‘બેઠકમાં ભારત-અમેરિકા વેપાર સમજૂતી (India-US Trade Deal) અને વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ કરેલા સરેન્ડર અંગે ચર્ચા થઈ છે. ટ્રેડ ડીલના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કપાસ, સોયાબીન, મકાઈનું ઉત્પાદન કરતા ખેડૂતો અને ફળ-બદામના ઉત્પાદકો પર નકારાત્મક અસર પડવાની છે.’

કોંગ્રેસ ખેડૂત સંગઠનો સાથે મળીને અવાજ ઉઠાવશે : જયરામ રમેશ

કોંગ્રેસ મહાસચિવે વધુમાં કહ્યું છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ અને રાહુલ ગાંધીએ તે વાત પર ભારપૂર્વક કહ્યું છે કે, અમેરિકા સાથેની ડીલ સામે વડાપ્રધાન મોદીનું વધુ એક સરેન્ડર છે. ભારત-પાકિસ્તાન ઘર્ષણ વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના કહેવા પર વડાપ્રધાન મોદીએ ઓપરેટન સિંદૂર અટકાવ્યું હતું, જે પહેલું સરેન્ડર હતું. અમે ખેડૂત સંમેલન યોજીને ખેડૂત સંગઠનો સાથે મળીને અવાજ ઉઠાવીશું.’

આ પણ વાંચો : ક્યાંક પથ્થમારો તો ક્યાંક આગચંપી… શિવાજી જ્યંતિ પર બબાલ, ત્રણ રાજ્યોમાં તણાવ



Source link

Related Articles

Back to top button