राष्ट्रीय

‘ફ્યુલ ટેન્ક આખું ભરવાની ક્યાં જરૂર હતી?’, અજિત પવાર પ્લેન ક્રેશ કેસમાં રોહિત પવારનો સનસનીખેજ દાવો | Ajit Pawar Plane Crash: Rohit Pawar Alleges Conspiracy Over Fuel Tank and Black Box Evidence



Ajit Pawar Plane Crash : મહારાષ્ટ્રના બારામતીમાં અજિત પવારના પ્લેન ક્રેશ મામલે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારે ફરી ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે દુર્ઘટનાને ષડયંત્ર ગણાવી કહ્યું છે કે, ઘટનાની તપાસ કરી રહેલી એજન્સીઓ ધીમી ગતિએ કામ કરી રહી છે, જેના કારણે આશંકા વધી રહી છે. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ ડિજિટલ પુરાવા આપવાની માંગ કરી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, જાણીજોઈને પાયલટનો ઉપયોગ કરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હશે, આ કારણે પુરાવામાં હેરાફેરી થવાની સંભાવના છે.

તપાસ એજન્સીઓ ધીમે કામ કરી રહી છે : રોહિત પવાર

રોહિત પવારે બુધવારે પ્રેસ કોન્ફન્સમાં કહ્યું કે, ‘અમે થોડા દિવસ પહેલા મુંબઈ અને દિલ્હીમાં પ્રેસ કોન્ફન્સ કરી હતી, ત્યારબાદ દુર્ઘટનાની તપાસ કરી રહેલી એજન્સીઓ કામ કરી છે, આનાથી અમને સંતોષ છે, પરંતુ તેઓ ધીમી ગતીએ કામ કરી રહ્યા હોવાથી અમને આશંકા છે. અમારા નેતાઓ અમને પત્ર આપીને તપાસની માંગ કરી રહ્યા છે. વિમાનનો ફ્યુલ ટેંક આખો ભરેલો હતો, તો પછી તે ભરવાની જરૂર કેમ પડી? વિંગ્સમાં પહેલેથી જ ભરેલું ટેન્ક હતું.’

‘જાણીજોઈને વિમાનને નીચે પાડવામાં આવ્યું’

રોહિતે પાયલોટ મામલે ગંભીર આક્ષેપ કર્યો છે અને બ્લેક બોક્સ પર પણ આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ઘટનાને અંજામ આપવા માટે પાયલોટનો ઉપયોગ કરાયો હોવાની અમને આશંકા છે. જાણીજોઈને વિમાનને નીચે પાડવામાં આવ્યું છે. તેમણે બ્લેક બોક્સ સળગી જવાની થિયરી પર કહ્યું કે,જાણકારો મુજબ 1100 ડિગ્રી સેલ્સિયસ પર એક કલાક સુધી સળગે તો જ બ્લેક બોક્સ ખરાબ થઈ શકે છે, જ્યારે પાણીમાં તે એક મહિના સુધી ખરાબ થતું નથી.

આ પણ વાંચો : DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા

‘વિમાન પહેલેથી જ ખરાબ હતું’

તેમણે વધુમાં કહ્યું કે, ‘વિમાન પહેલેથી જ ખરાબ હતું અને તેનું 55 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ હતું. જ્યારે તેના પુર કુલ દેવું 210 કરોડ રૂપિયા હતું. પ્લેન ક્રેશની ઘટનામાં માત્ર કાગળ પર કાર્યવાહી પર વિશ્વાસ કરવાના બદલે ડિજિટલ પુરાવાની તપાસ થવી જોઈએ, જેનાથી સત્ય સામે આવી શકશે. વિમાનની બોડી એલ્યુમિનિયમ અને બહારનો ભાગ ટાઇટેનિયમથી બનેલો હોય છે, તેથી ટેકનિકલ ખામીઓને છુપાવું મુશ્કેલ છે. આ ઘટના પાછળ કોણ સામેલ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તપાસ એજન્સીઓના કામથી સંતોષ છે, પરંતુ ધીમી ગતિએ તપાસ થઈ રહી હોવાથી આશંકા છે.

આ પણ વાંચો : લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી! માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર



Source link

Related Articles

Back to top button