राष्ट्रीय

ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી : પીયુષ ગોયલ | India has not given any concessions to America in agriculture and dairy sector: Piyush Goyal



– અમેરિકાને સોયાબીન, દાળ, સફરજન, ટ્રી નટ્સ, પશુ આહાર પર છૂટ આપી : ઉદ્યોગ મંત્રી

નવી દિલ્હી : અમેરિકા સાથે વેપાર કરારથી ભારતીય ખેડૂતો અને ડેરી ઉદ્યોગને ભારે નુકસાન થશે તેવા આક્ષેપોને નકારી કાઢતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે શનિવારે બંને દેશો વચ્ચે વચગાળાના વેપાર કરારના ફાયદા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, એવું એક પણ ક્ષેત્ર ખોલાયું નથી, જેનાથી ખેડૂતોને નુકસાન થતું હોય.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં જીએમ ઉત્પાદનો, અનાજ, ચોખા, જવાર, બાજરો, મકાઈ, રાગી, પોલ્ટ્રી, મગ દાળ, લીલા વટાણા, કાબૂલી ચણા, સોયાબીન, ફળ, કોકા, ચણા, એનીમલ સીડ્સ ઉત્પાદનો, નોન-આલ્કોહોલિક વસ્તુઓ, ઈથેનોલ, તમાકુ અને અન્ય વસ્તુઓમાં અમેરિકાને કોઈ છૂટછાટ અપાઈ નથી. આ સિવાય અમેરિકા ભારત પાસેથી મોટા પ્રમાણમાં કેળાની આયાત કરશે, જેના પર અમેરિકામાં શૂન્ય ટેરિફ લાગશે. તેમણે ઉમેર્યું કે, જે વસ્તુઓનું આપણે ઉત્પાદન નથી કરતા અને વ્યાપક પ્રમાણમાં બહારથી મંગાવીએ છીએ તેમાં પણ અમે કેલિબ્રેટેડ રીતે અમેરિકાને છૂટ આપી છે.

ગોયલે કહ્યું કે, ભારતે વચગાળાના વેપાર કરાર હેઠળ અમેરિકાને સોયાબીન તેલ, દાળ અને સફરજન, ટ્રી નટ્સ અને પશુ આહાર પર છૂટ આપી છે. ભારત સોયાબીન તેલની અગાઉથી જ અમેરિકામાંથી આયાત કરે છે. દાળ પણ અમેરિકામાંથી પહેલાથી મગાવાય છે. આ બધુ વસ્તુઓની કોંગ્રેસના સમયથી જ આયાત થઈ રહી છે. જોકે, અમે તેના પર પણ ક્વોટા મૂક્યો છે. અમે સોયાબીન પર ટેરિફ છૂટ નથી આપી પરંતુ સોયાબીન તેલ પર ટેરિફ છૂટ આપી છે. આ સિવાય સફરજન પર ૮૦ રૂપિયાની ઈમ્પોર્ટ પ્રાઈસ રાખી છે. તેનાથી ઉપર ૨૦ રૂપિયાનો ટેરિફ લાગુ છે. એટલે કે આપણા ખેડૂતોને ૧૦૦ રૂપિયાની સુરક્ષા અપાઈ છે. તેમણે ઉમેર્યું કે, કૃષિ ક્ષેત્રમાં ભારતે અખરોટ, પિસ્તા જેવા ટ્રી નટ્સની વસ્તુઓના ટેરિફમાં અમેરિકાને રાહત આપી છે. ભારતમાં પિસ્તા, અખરોટ, કાજુ, બદામ જેવા સૂકા મેવાનું મોટાપાયે ઉત્પાદન થતું નથી. આપણે આ વસ્તુઓ અલગ અલગ દેશોમાંથી મગાવીએ છીએ. આથી અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં આયાત કરીએ તો કોઈ વાંધો હોવો જોઈએ નહીં. 



Source link

Related Articles

Back to top button