બરવાળા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
દેશ અને દુનિયામાં અણધારી આવી પડેલી કોરોના મહામારી એ માનવીનું સામાજિક અને આર્થિક જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.સમગ્ર દુનિયાને આ મહામારી એ પોતાની લપેટ માં લીધું છે.WHO એ કોરોના રોગ ને વૈશ્વિક મહામારી જાહેર કર્યો છે.આ મહામારીના સમયમા સરકારનો આરોગ્ય વિભાગ ખડે પગે ઉભો રહ્યો છે ત્યારે આજરોજ તા.23/1/2021 ને શનિવારે તાલુકા હેલ્થ ઓફીસ બરવાળા ખાતે કોરોના વેક્શીનનો શુભારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડો.એમ.કે.સાત્યકી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાનાં મેડીકલ ઓફીસર ડો.વી.આર.ચાસીયા તથા તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.તાલુકા હેલ્થ ઓફીસ બરવાળા ખાતે કુલ 170 ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કરને કોરોના વેક્શીન આજ રોજ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી. ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર જેમા આશા બહેનો તથા આંગણવાડી બહેનો તથા સીએચસી સ્ટાફ તથા તાલુકા હેલ્થ ઓફીસ બરવાળા સ્ટાફ તથા આઈસીડીએસનો સ્ટાફ તથા પ્રાઈવેટ પ્રેક્ટીશનર્સ ડોક્ટર દ્વારા આજરોજ કોરોના વેક્શીન લઈ સમાજને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ અને સંદેશો આપેલ છે કે કોરોના વેક્શીન લેવી જ જોઈએ જેથી આ મહામારી સામે આપણે સૌ રક્ષણ મેળવી શકીએ.આ કાર્યક્રમને સફળ બનાવવા વિમલ જે.વસાણી (તાલુક ફાયનાન્સ ઓફીસર) તથા એ ભારે જહેમત ઉઠાવેલ હતી.