राष्ट्रीय

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir Theft Case: SIT Faces Challenge Due to 45 Days CCTV Backup Limit



  

Ram Mandir Theft Case: અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-જેમ ડિજિટલ સાક્ષીઓ મેળવવામાં મોટી મુશ્કેલીઓ સામે આવી રહી છે. 6 દિવસથી ચાલી રહેલી તપાસમાં ખુલાસો થયો છે કે મંદિર પરિસરમાં સીસીટીવી (CCTV) કેમેરાનું સ્ટોરેજ બેકઅપ માત્ર 45 દિવસ સુધી જ ઉપલબ્ધ છે. આના કારણે ચોરી ક્યારથી શરૂ થઈ અને કેટલા સમય સુધી ચાલી, તેનો ચોક્કસ સમયગાળો નક્કી કરવો તપાસ એજન્સી માટે અત્યંત કઠિન બની ગયો છે.

45 દિવસથી જૂનો ડેટા ઓટો-ડિલીટ, છેડછાડના સંકેતોથી શંકા ઘેરી બની

SIT ની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મંદિરના ડિજિટલ સર્વરમાં 45 દિવસથી જૂની ફૂટેજ આપમેળે જ ડિલીટ થઈ જતી હતી. આ મર્યાદિત બેકઅપ સિસ્ટમની વચ્ચે પણ સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજ સાથે કથિત રીતે છેડછાડ કરવામાં આવી હોવાના સંકેતો મળ્યા છે.

તપાસના મુખ્ય તકનીકી પાસાઓ

ફોરેન્સિક લેબની મદદ: ફૂટેજમાં કરાયેલી છેડછાડ પકડવા માટે હવે ડેટાની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવશે.

દોઢ મહિનાની ફૂટેજ પર નજર: જો છેલ્લા દોઢ મહિના (45 દિવસ) ની અંદર કોઈ પણ પ્રકારનું ડિલીટ કે એડિટિંગ કરવામાં આવ્યું હશે, તો તેના ટેકનિકલ અને ડિજિટલ પુરાવા ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવી જશે.

બયાનબાજીમાં વિરોધાભાસ

મર્યાદિત ડિજિટલ પુરાવા હોવાથી એસઆઇટી હાલમાં શંકાસ્પદ કર્મચારીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો અને અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ પર નિર્ભર છે. આ પૂછપરછ દરમિયાન તમામના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે, જે તપાસનો મુખ્ય આધાર બની રહ્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા

આ મામલે અયોધ્યા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષો દ્વારા કરવામાં આવી રહેલા રાજકીય પ્રહારો પર આકરો પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટની સત્તાવાર વિનંતી બાદ જ સરકારે આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે SIT ની રચના કરી છે. રામભક્તો પર ભૂતકાળમાં ગોળીઓ ચલાવનારા અને માફિયાઓના પક્ષધર લોકો આજે અયોધ્યાના નામે દુષ્પ્રચાર કરીને ધામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી SIT નો સત્તાવાર અહેવાલ ન આવે ત્યાં સુધી બિનજરૂરી નિવેદનબાજી બંધ રાખે. માત્ર 15 દિવસમાં તપાસ પૂરી થશે અને કોઈ પણ ગુનેગાર બચી શકશે નહીં. જો કોઈની પાસે લેખિત પુરાવા હોય તો તેઓ સીધા એસઆઇટીને સોંપી શકે છે.



Source link

Related Articles

Back to top button