राष्ट्रीय

મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man declared dead by the government is trying to prove himself alive



– સરકારી સિસ્ટમની ગંભીર બેદરકારી

– ગંભીર ભૂલને કારણે 58 વર્ષીય દિવ્યાંગ કરણસિંહ છ મહિનાથી સરકારી યોજનાઓનાં લાભથી વંચિત

ભોપાલ : મધ્ય પ્રદેશનાં હરદા જિલ્લામાં સરકારી સિસ્ટમની બેદરકારીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યા એક જીવિત વ્યકિતને સરકારી પોર્ટલ પર મૃત જાહેર કરવામાં આવ્યો છે. 

આ ટેકનિકલ ભૂલને કારણે ૫૮ વર્ષીય દિવ્યાંગ કરણસિંહ સાવનેર છેલ્લા છ મહિનાથી સરકારી યોજનાઓનાં લાભથી વંચિત છે અને સતત સરકારી ઓફિસોનાં ચક્કર લગાવવા મજબૂર થઇ ગયા છે. 

આ કેસ એ સમયે સામે આવ્યો જ્યારે આ વ્યકિતએ સંબલ યોજના માટે અરજી કરી હતી. 

આ અરજી કર્યા પછી તેમને જણાવવવામાં આવ્યું કે સરકારી ચોપડે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. 

અંતે થાકી અને હારીને તેમણે કલેક્ટરને ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.  આ કેસ વહીવટી વ્યવસ્થા અને ડિજિટલ ડેટાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્રો ઉભા કરે છે.

કરણસિંહે જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ અગાઉ ડાયાબિટિસની બિમારીની કારણે તેમના પગમાં ગંભીર સંક્રમણ થઇ ગયું હતું જેના કારણે તેમનો એક પગ કાપવાની ફરજ પડી હતી. ત્યારબાદ તેમણે કૃત્રિમ પગ લગાવ્યો હતો. કરણસિંહે ચિંતા વ્યક્ત કરી હતી કે જો ટૂંક સમયમાં રેકોર્ડમાં સુધારો કરવામાં નહીં આવે તો ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થતા જ તે સંબલ યોજના સહિત અનેક લાભોથી વંચિત રહી જશે.

સહાયક શ્રમ અધિકારી મનીષ ચોરસિયાએ જણાવ્યું હતું કે કેસની માહિતી મળી ગઇ છે અને સંબધિત પોર્ટલ તથા રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. ઓટીપી વેરિફિકેશનની તપાસ પછી ભૂલની જાણ થશે અને ત્યારબાદ જરૂરી સુધારા કરવામાં આવશે.



Source link

Related Articles

Back to top button