राष्ट्रीय

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ… આત્મહત્યા કરનારા ન્યાયાધીશ અમન શર્માની દર્દનાક કહાની | Alwar Judge Aman Sharma Suicide: 9 Dead After Family Dispute And Alleged Harassment



Alwar Judge Aman Sharma Suicide Case : રાજસ્થાનના અલવર શહેરમાં 30 વર્ષિય ન્યાયાધીશ અમન શર્માની મોતની ઘટનાએ સૌકોઈને હચમચાવી નાખ્યા છે. તેમણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. એક આશાસ્પદ પુત્ર, સફળ જજ અને જવાબદાર પિતાએ આત્મહત્યા કેમ કરવી પડી, તે સવાલ તમામ લોકોના મનમાં થઈ રહ્યો છે. અગાઉ એક પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવારજનો પહેલેથી જ આઘાતમાં છે, ત્યારે હવે બીજા પુત્રનું મોત થતાં પરિવારજનો સંપૂર્ણ ભાંગી પડ્યા છે.

પિતાએ પુત્ર માટે સુંદર ભવિષ્યનું સપનું જોયું હતું

અમન શર્મા અલવરના પ્રતિષ્ઠિત એડવોકેટ પ્રેમ પ્રકાશ શર્માના મોટા પુત્ર હતા. તેઓ પરિવારના લાડલા, શાંત સ્વભાવના અને તેજસ્વી હતા. અમને પોતાની મહેનતથી ન્યાયિક સેવામાં સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2021માં તેમની પસંદગી જજ તરીકે થઈ હતી અને પુત્રની આ સિદ્ધિ પર પરિવારને ગર્વ હતો. પિતા પ્રેમ પ્રકાશે હંમેશા તેમના પુત્ર માટે એક સુંદર ભવિષ્યનું સપનું જોયું હતું.

એકતરફ પિતાની ઈચ્છા અને બીજીતરફ પ્રેમ

પિતાની ઈચ્છા હતી કે, અમનના લગ્ન તેમના મિત્રની દીકરી સાથે થાય. આ એક એવો સંબંધ હતો જે તેમણે પોતાના મનમાં વસાવ્યો હતો. પરંતુ જિંદગીએ અમન માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. ન્યાયિક સેવાની તૈયારી દરમિયાન અમનને તેની બેચમેટ સાથે પ્રેમ થયો હતો. જ્યારે તેમણે પિતાને પ્રેમની વાત કહી, ત્યારે પિતાએ ઈચ્છા કરતા પુત્રની ખુશીને મહત્વ આપ્યું. ત્યારપછી પરિવારની સંમતિથી બંનેના લગ્ન થયા હતા.

પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં IAS સાળીની ભૂમિકા

ત્યારપછી અમનના જીવનમાં એવો ખરાબ સમય શરૂ થયો કે, અંગત જીવનમાં તિરાડો પડવા લાગી અને પતિ-પત્ની વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો. પરિવારનો આરોપ છે કે, વિવાદોમાં અમનની સાળીની પણ ભૂમિકા હતી, જે જમ્મુમાં આઈએએસ અધિકારી છે. લગ્ન પછી અમન અવારનવાર ઘરે આવતા-જતા રહેતા હતા. પરિવારે કહ્યું કે, અમને ક્યારેય મુશ્કેલીઓ કહી નથી. તે સ્વભાવ એવો હતો કે દરેક વાત પોતાના મનમાં રાખતો હતો. બહારથી હંમેશા હસતો દેખાતો અમન અંદરથી પીડા સહન કરી રહ્યો હતો.

આ પણ વાંચો : બાલ્કનીની ગ્રીલ બની ગઈ મોતની જેલ ! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગની ડીઝાઈને લીધા 9 જીવ

‘પપ્પા, આ મારો છેલ્લો કોલ છે, હવે મારાથી જીવન જીવાતું નથી’

ઘટનાના બે દિવસ પહેલા અમને પિતાને ફોન કર્યો હતો. અમને એવું કહ્યું કે, પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયો હતો. અમને કહ્યું હતું કે ‘પપ્પા, આ મારો છેલ્લો કોલ છે, હવે મારાથી જીવન જીવાતું નથી’. આ સાંભળતા જ પ્રેમ પ્રકાશ શર્મા તાત્કાલીક દિલ્હી જવા રવાના થયા હતા. તેમને આશા હતી કે, તેઓ પુત્રને સંભાળી લેશે અને તેની તકલીફ દૂર કરશે.

અમન સામે જ પિતાનું અપમાન

પરિવારજનોના જણાવ્યા અનુસાર, જ્યારે અમનના પિતા દિલ્હી ગયા ત્યારે, ઘરનું વાતાવરણ તણાવવાળું હતું. અમનની હાજરીમાં જ પિતાનું અપમાન કરવામાં આવ્યું હતું. ત્યારે પુત્ર માટે પિતાનું અપમાન જોવું અસહ્ય હતું. આ જોતા અમન અંદરથી તૂટી ગયો હતો. પરિવારનું કહેવું છે કે, અમન પિતાનું અપમાન સહન કરી શક્યો નહીં.

પિતાની હાજરીમાં જ પતિ-પત્નીનો ઝઘડો

ત્યારપછી બીજી મેની બપોરે દિલ્હી સ્થિત નિવાસસ્થાને અમને ખુરશી કાઢી અને રૂમમાં રાખેલી શાલથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, પિતા રૂમની બહાર હતા અને અંદરથી ચીસોના અવાજો આવી રહ્યા હતા. અમનની પત્ની સતત તેમની સાથે ઝઘડો કરી રહી હતી. પિતાની સામે જ પુત્રનું આ રીતે દુનિયા છોડી જવું તેમના જીવનનો સૌથી મોટો આઘાત બની ગયો.

અગ્નિ સંસ્કારમાં સાસરી પક્ષ તરફથી કોઈ ન આવ્યું

રવિવારે સવારે અમનનો પાર્થિવ દેહ અલવર પહોંચ્યો હતો. સંપૂર્ણ રાજકીય સન્માન અને વિશાળ જનમેદનીની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પિતા પ્રેમ પ્રકાશ શર્માએ ભીની આંખે પુત્રને મુખાગ્નિ આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે, અંતિમ સંસ્કારમાં સાસરી પક્ષનો કોઈપણ સભ્ય હાજર ન હતું. અમનના પરિવારજનોએ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ માત્ર આત્મહત્યા નથી, પરંતુ ગંભીર મામલો છે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો : કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્યો



Source link

Related Articles

Back to top button