राष्ट्रीय

જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! | Assam Exit Poll 2026 Himanta Biswa Sarma Eyes Historic 50 percent Vote Share Amid Massive Shift



Assam Exit Poll 2026: અસમમાં એક્ઝિટ પોલના આંકડાઓએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. એક્સિસ માય ઇન્ડિયાના સર્વે અનુસાર, હિમંતા બિશ્વા સરમાએ અસમમાં મોટો ઉલટફેર કર્યો હોય તેમ જણાય છે. જે રાજ્યમાં મુસ્લિમ વસ્તી લગભગ 38% છે, ત્યાં ભાજપ 48થી 50 ટકા જેટલો જંગી વોટ શેર હાંસલ કરે તેવા સંકેતો મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આટલો મોટો વોટ શેર મેળવવો એ વિપક્ષ માટે ખતરાની ઘંટડી સમાન છે, કારણ કે જ્યારે કોઈ પક્ષ 50 ટકા મતો મેળવે છે ત્યારે વિપક્ષી એકતાનું કોઈ મહત્ત્વ રહેતું નથી.

ભાજપના વોટ શેરમાં ઐતિહાસિક ઉછાળો આવવાની શક્યતા

સરવેના આંકડા દર્શાવે છે કે ભાજપના વોટ શેરમાં 2021ની સરખામણીએ મોટો ઉછાળો આવી શકે છે. 2021માં ભાજપનો વોટ શેર 33.21% હતો, જે આ વખતે વધીને 46.1%થી 48% સુધી પહોંચી શકે છે. જોકે, મુસ્લિમ બહુલ વિસ્તારોમાં હજુ પણ ગૌરવ ગોગોઈ લોકપ્રિય ચહેરો છે, જ્યાં 73.7% મુસ્લિમો તેમને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે, જ્યારે માત્ર 15.2% મુસ્લિમો જ હિમંતા બિશ્વા સરમાને પસંદ કરે છે. તેમ છતાં, સરવે મુજબ કોંગ્રેસ 38 ટકા મતો પર અટકી શકે છે, જે સૂચવે છે કે તમામ મુસ્લિમ મતો કોંગ્રેસને મળ્યા નથી.

આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયાનક દુર્ઘટના, ચાલતી કારમાં આગ લાગતા 5 જીવતા ભૂંજાયા

હિમંતા બિશ્વા સરમાની સફળ વ્યૂહરચના અને સુરક્ષાનો વિશ્વાસ

હિમંતા બિશ્વા સરમાની આ સફળતા પાછળ તેમની વ્યૂહરચના જવાબદાર માનવામાં આવે છે. તેમણે સ્વદેશી સમુદાયોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો ‘નિજુત મોઈના યોજના’, અને ‘ઓરુનોડોઈ’  જેવી કલ્યાણકારી યોજનાઓ દ્વારા મહિલાઓ સુધી સીધી પહોંચ બનાવી છે. આ ઉપરાંત, બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી અને મદરેસાઓને શાળાઓમાં ફેરવવા જેવા નિર્ણયો દ્વારા તેમણે એક તરફ ધ્રુવીકરણ અને બીજી તરફ પ્રગતિની રાજનીતિને સાથે ચલાવી છે. આ તમામ પરિબળોને કારણે હિમંતા બિશ્વા સરમા ‘પૂર્વોત્તરના ચાણક્ય’ તરીકે ઉભરી આવ્યા છે.


જ્યાં 38% મુસ્લિમ મતદાર ત્યાં ભગવા લહેરના સંકેત, પૂર્વોત્તરના ચાણક્યએ કર્યો ચમત્કાર! 2 - image



Source link

Related Articles

Back to top button