गुजरात
હાલે કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજય સરકારશ્રી તરફથી તેની સામે રક્ષણ મેળવવા માટે રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે
અંજાર
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
અખબાર યાદી
અંજારઃ
હાલે કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજય સરકારશ્રી તરફથી તેની સામે રક્ષણ મેળવવા માટે રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. હાલે અંજાર શહેરમાં (૧) સરકારી
હોસ્પિટલ મળે, (૨) પ્રાથમિક શાળા નં.૨, નગરપાલિકા કચેરીની બાજુમાં, (૩)પ્રાથમિક શાળા
નં.૩, નવા અંજાર દેના બેંક પાસે, (૪) પ્રાથમિક શાળા નં.૪, સવાસર નાકા લોહાણા મહાજન
વાડી પાસે આ ૪(ચાર) કેન્દ્રો પર બુધવાર અને જાહેર રજાના દિવસો સિવાય સવારે ૦૯:00 થી
સાંજે ૦૫:૦૦ કલાક સુધી ૪૫ વર્ષથી ઉપરના કોઈપણ નાગરીકને રસી આપવામાં આવશે.
રસીકરણનો લાભ લેવા ઈચ્છતા દરેક શહેરીજને પોતાનું આધારકાર્ડ સાથે લઈને જવાનું રહેશે તેવું એક યાદીમાં તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડો. રાજીવ અંજારીયા એ જણાવ્યું હતું.