गुजरात

અમદાવાદ : દીકરાને બીજી વાર પરણાવવો પડ્યો તો પણ પરિવાર ન સુધર્યો, વહુને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં રહેતી એક 44 વર્ષીય મહિલાએ બાપુનગર ના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મહિલાના પણ બીજા લગ્ન હતા અને તેના આ પતિના પણ બીજ લગ્ન હતા. મહિલાને પહેલા લગ્નમાં કોઈ સંતાન ન હતું, પણ તેના આ બીજા પતિને પહેલા લગ્ન જીવનથી એક પુત્ર હતો. લગ્ન બાદ જ્યારે મહિલા સાસરે આવી ત્યારે સાસરિયાઓ એ તેને ઘરકામ બાબતે અને દહેજ માંગવા બાબતે ત્રાસ ગુજાર્યો હતો. આટલું જ નહીં મહિલાના આ પતિનો જે પુત્ર હતો તેને આ મહિલા પાસે પણ મોકલતા ન હતા. જેથી આખરે કંટાળીને આ મહિલાએ પોલીસ ફરિયાદ આપતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી 44 વર્ષીય મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2019 ના ઓક્ટોબર માસમાં તેના લગ્ન બાપુનગરના યુવક સાથે થયા હતા. આ મહિલા અને તેના પતિના બીજા લગ્ન હતા.

Related Articles

Back to top button