આગ્રામાં 34 પ્રવાસીઓ સાથેની બસ હાઇજેક, પોલીસ કહ્યું, ફાઇનાન્સ કંપનીવાળા લઇ ગયા
અમદાવાદ : “અમે દુકાન ખરીદી હોવાથી 1100 રૂપિયા અને અગરબત્તી ચઢાવી દો… તમારા દાગીના આ 100ની નોટમાં મુકો અને અડધો કલાક બાદ પહેરી લેજો” જો આવું કોઈ કહે તો ચેતી જજો અને તાત્કાલિક પોલીસને જાણ કરજો, કારણકે આવી ટોળકી અમદાવાદમાં સક્રિય થઈ છે. આ ટોળકી આવી વાતો કરી લોકોને ભરમાવે છે અને બાદમાં દાગીના લઈને ફરાર થઈ જાય છે.
રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ એક પૂજારીની પત્નીએ આવી ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાના કહેવા મુજબ, બંને શખશો હિન્દીભાષી હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રાહકના સ્વાંગમાં આવીને અગાઉ બે ગઠિયાઓએ નરોડામાં એક સોની વેપારીના દાગીના આ જ મોડ્સ ઓપરેન્ડીથી સેરવી લીધા હતા.
શાહીબાગ પોલીસ કમિશનર કચેરી સામે આવેલી જીવરાજનગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય મનીષા બહેન પંડયાના પતિ રાણીપ ખાતે એક મંદિરમાં સેવા આપે છે. બંને પતિ પત્ની રાણીપના ચંદનેશ્વર મહાદેવ મંદિર ગયા હતા. ત્યારે મનિશાબહેન ત્યાં ખુરશી નાખીને બેઠા હતા ત્યારે બે અજાણ્યા લોકો આવ્યા હતા. જેમાના એક શખશે મનીષા બહેનને 1100 રૂપિયા આપ્યા અને અગરબત્તી આપી ભગવાનને ચઢાવવા કહ્યું હતું. બાદમાં પૈસા પરત આપવા મનીષા બહેન આવ્યા ત્યારે આ ગઠિયાઓએ તેમને નવી દુકાનમાં વિધિ કરવાની છે અને માતાજીની માનતા છે તેમ કહી 100 ની નોટમાં દાગીના મુકવાનું કહ્યું હતું. પણ મનીષા બહેન એ ઓળખતા ન હોવાથી મનાઈ કરી તો આ શખસોએ માનતા હોવાનું કહી મનીષા બહેનને ભરમાવ્યા હતા. મનિશાબહેને દાગીના 100ની નોટમાં મુક્યા બાદ તે પડીકું તેમને આપ્યું અને એક સફેદ કોથળીમાં તે મૂક્યું હતું.