સુરતના આ વિસ્તારોને કરાયા કલસ્ટર ક્વૉરેન્ટાઈન મુક્ત, તપાસી લો તેની યાદી
સુરત : શહેરના જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ અતિશય વધે અને પોઝિટીવ કેસોની સંખ્યા વધી જાય, તેને કલસ્ટર વિસ્તાર જાહેર કરી, લોકોને ફરજિયાત હોમ ક્વૉરેન્ટાઈન કરવામાં આવે છે. જ્યારે કોરોના સંક્રમણ ઘટી, કેસ નહિવત થતા આ કલસ્ટર હટાવવામાં અવે છે. સુરત મનપા કમિશ્નરે ન્યુ ઇસ્ટ ઝોન એટલે કે વરાછા બી ઝોનમાંથી મોટી વસ્તીને કલસ્ટર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. મનપા કમિશ્નરે કરેલા હુકમ મુજબ વરાછા બી ઝોનના અંદાજે 49,877 ઘરોના 2,17,499 લોકોને ક્લસ્ટર મુક્ત કરી દીધા છે.
જે વિસ્તાર અને વસ્તી કલસ્ટર મુક્ત થયા છે, એમા, મોટા વરાછા ફાયર સ્ટેશનથી સુદામા ચોક થઇને યમુના ચોક રોડથી આનંદ વાટીકા રેસીડેન્સીથી મોટા વરાછા ફાયર સ્ટેશન સુધીના વિસ્તારના, 19 હજારથી વધુ લોકો મુક્ત થયા છે. મોટા વરાછા ખરી ફળિયું, રુક્ષ્મણી સોસાયટી, કેવટનગર, બાલમુકુંદ સોસાયટી, સૂર્ય વંદના સોસાયટી, ગુરુકૃપા સોસાયટી સહિતની અંદાજે 18 હજાર જેટલી વસ્તી, સરિતા દર્શન સ્વાતિ સોસાયટી નિર્મળ નગર ગોલ્ડન સિટી નંદનવન સહિતની અંદાજે 11 હજારથી વધુ વસ્તી, પુણા વિસ્તારમાં આવેલા ઈશ્વરકૃપા, પ્રભુકૃપા ગુરુકૃપા, ભગવતી કૃપા વિસ્તાર, સરથાણા વિસ્તારમાં આવેલ આનંદ પાર્ક, અનમોલ પાર્ક, પાર્વતી નગર, નીલકંઠ હાઈટ્સ, શાંતિવન, સેતુ રેસીડેન્સી, લક્ષ્મીનગર વિભાગ -2, સંસ્કાર વિલા રો હાઉસ અને મોટા વરાછા વિસ્તારમાં આવેલ ધર્મનંદન રો હાઉસ, રવિ પાર્ક, હરી ક્રિષ્ના પાર્ક, ગોપીનાથ સોસાયટી, કૃષ્ણ કુંજ સોસાયટી, મારુતિનંદન સોસાયટી, રાજહંસ ટાવર, આશિયાના મંઝિલ, વોરાજી ફળિયું, દાદાભાઈની ચાલ, અંબિકાનગર સોસાયટી, હરીઓમ નગર સોસાયટી, પ્રભુનગર સોસાયટી, રામકૃષ્ણ રો હાઉસ સહિતની અંદાજે 38 હજારથી વધુ વસ્તીને કલસ્ટર મુક્ત કરી દેવામાં આવી છે.
વધુમાં નાના વરાછા પૂણા બી વોર્ડમાં આવેલા, મોમાઈનગર સોસાયટી, ધર્મિષ્ઠા પાર્ક સોસાયટી, તાપી દર્શન સોસાયટી, સિલ્વર ચોક, સિલ્વર નેટ રેસીડેન્સીથી આશાદીપ વિદ્યાલય, દેવી દર્શન સોસાયટી, શિક્ષાપત્રી રેસીડેન્સી વિસ્તાર, પ્રભુછાયાથી મહાલક્ષ્મી સોસાયટી, સહિતના સાત હજારથી વધુ ઘરોમાં રહેતા 30 હજારથી વધુ લોકોને ક્લસ્ટર મુક્ત કરવામાં આવ્યા છે. વધુમાં મોટા વરાછા રામચોકથી ભક્તિનંદન ચોક વિસ્તારમાં આવેલ સોસાયટીઓ, સરથાણા વિસ્તારમાં આવેલ સોસાયટીઓ, સીમાડા વિસ્તારમાં આવેલ સંખ્યાબંધ સોસાયટીઓ, મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુમેરુ સ્કાય રેસીડેન્સી, રાજ શૈલી, શિવધારા, નૂપુર સોસાયટી, સ્વસ્તિક રો હાઉસ, અંબિકા રેસીડેન્સી, શિવધારા કેમ્પસ, સાજન બંગ્લોઝ, સુમન નિવાસ, કસ્તુરી બંગ્લોઝ, તુલસી રો હાઉસ સહિતના વિસ્તારના 11000 ઘરોમાં રહેતા અંદાજે 48 હજારથી વધુ લોકોને પણ ક્લસ્ટર મુક્ત કરવામાં આવ્યા છે.