गुजरात

લાલબાગ બ્રિજ પાસે રહેતા પરપ્રાંતિય યુવકનો આપઘાત | Suicide of a migrant youth living near Lalbagh Bridge



વડોદરાપત્ની સાથે ઝઘડો થયા પછી  પત્ની જતી રહેતા હતાશ થયેલા શ્રમજીવી યુવકે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના ચંપારણ ખાતે મણીપુર મોલનો વતની સદ્દામ હુસેન મહંમદજલીલ મનસુરી (ઉં.વ.૩૪) હાલમાં લાલબાગ બ્રિજ નીચે પી.એસ.પી. લેબર કોલોનીમાં રહે છે. કંપનીમાં કામ કરતા કામદારો બપોરે કાયમ સાથે જમવા બેસતા હતા. પરંતુ, સદ્દામ આજે ગયો નહતો. જેથી, સાથી કર્મચારીઓ તેને રૃમ પર બોલાવવા ગયા ત્યારે જોયું તો તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો.  જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા  પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના ભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, સદ્દામને તેની પત્ની સાથે અગાઉથી જ ઝઘડા ચાલતા હોઇ પત્ની જતી રહી હતી. તેના કારણે હતાશ થઇને તેણે અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે.



Source link

Related Articles

Back to top button