આવારાપન ટુ અને લાહોર 1947 થિયેટરમાં ટકરાશે | Awarapan 2 and Lahore 1947 will clash in theaters

![]()
– ઇમરાન અને સનીની ફિલ્મો સ્વતંત્રતા દિવસના અઠવાડિયે રિલીઝ કરવામાં આવે તેવી અટકળ
મુંબઇ : ઇમરાન હાશ્મીની આવારપન ટુ અને સની દેઓલની લાહોર ૧૯૪૭ સ્વતંત્રતાના દિવસના અઠવાડિયે થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે. તેથી આ બન્ને ફિલ્મો રૂપેરી પડદે ક્લેશ થાય તેવી શક્યતા છે.જોકે આવારાપન ટુની રિલીઝની ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ તેને સ્વતંત્રતા દિવસના અઠવાડિયાની રિલીઝનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. લાહોર ૧૯૪૭માં સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા જોવા મળવાના છે. જેનું નિર્માણ આમિર ખાનના બેનરનું છે. આવારાપન ટુમાં ઇમરાન હાશ્મી ઇને દિશા પટાણીની જોડી જોવા મળશે. આ ફિલ્મને પહેલા ૩ એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવવાની હતી પરંતું ફિલ્મોના દ્રશ્યોના થોડા શૂટિંગ બાકી હોવાથી રિલીઝ થઇ શકી નહીં. આપછી તેને સ્વતંત્રતાના દિવસના અઠવાડિયે રિલીઝ કરવાની યોજના કરવામા આવી છે.
સની દેઓલની ફિલ્મો હાલ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે તેથી આવારાપન ટુ તેની સામે ટકી શકશે કે નહીં તેવી પણ શંકા સેવાઇ રહી છે.



