गुजरात

રતનપર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત | Couple dies in accident between car and bike near Ratanpar intersection



– પાળીયાદ સાયલા હાઇવે પર

– પતિ પત્ની બાઇક લઈને ચોટીલા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો, રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગર : પાળીયાદ સાયલા હાઇવે પર આવેલા રતનપર ચોકડી પાસે કાર અને બાઈક અથડાતાં દંપતીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રાણપુર તાલુકાના ખસ ગામે રહેતા શામજીભાઈ પંચભાઈ મીઠાપરાના મોટાભાઈ મનસુખભાઈ પાંચાભાઈ મીઠાપરા (ઉ.વ.૪૮) તથા તેમના ગીતાબેન મનસુખભાઈ પાંચાભાઈ મીઠાપરા પોતાનું પ્લેટીના મોટરસાયકલ નંબર જીજે-૦૬-સીકે-૦૮૬૧ લઈને ખસ ગામથી ચોટીલા જવા નીકળેલ તે દરમ્યાન પાળીયાદ સાયલા હાઇ-વે પર રતનપર ચોકડીથી આગળ રોડ પર કાર નં.જીજે-૩૩-કે-૨૩૨૪ના ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક પર જઈ રહેલા દંપતીને ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના નાનાભાઈ શામજીભાઈએ કાર ચાલક વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button