मनोरंजन

VIDEO: મહાકાલના દરબાર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ, નંદીમાં કાનમાં મનોકામના માંગતી વખતે થઈ ચૂક | ujjain mahakaleshwar temple akshay kumar visit tiger shroff wishes in nandi ear



Mahakaleshwar Temple: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ દરમિયાન અક્ષય કુમાર ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષયની સાથે તેમની સાસુ ડિમ્પલ કાપડિયા અને અભિનેતા ટાઈગર શ્રોફ પણ જોવા મળ્યા હતા. અક્ષય અને ટાઈગરે પૂરી શ્રદ્ધા સાથે બાબા મહાકાલની પૂજા કરી હતી. તેમણે માત્ર બાબા મહાકાલનું વિધિવત પૂજન જ ન કર્યું, પરંતુ નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના પણ કહી હતી. જો કે નંદીના કાનમાં મનોકામના કહેતી વખતે અક્ષય અને ટાઈગરથી એક ચૂક થઈ ગઈ હતી.

અક્ષય અને ટાઈગરથી ભૂલ નહીં પણ ચૂક થઈ!

જ્યોતિષ પંડિતોના જણાવ્યા મુજબ અક્ષય અને ટાઈગર જ્યારે નંદીના કાનમાં પોતાની મનોકામના કહી રહ્યા હતા, ત્યારે તેમણે નંદીનો બીજો કાન બંધ કરવો જોઈતો હતો. જ્યારે પણ નંદીના કાનમાં કોઈ મનોકામના કહેવામાં આવે છે ત્યારે નંદી બાબાનો બીજો કાન બંધ કરી દેવામાં આવે છે. જો અક્ષય અને ટાઈગર આ વાત જાણતા ન હતા, તો મંદિર પરિસરમાં હાજર પુજારીઓએ તેમને આ જણાવવું જોઈતું હતું. જો કે આ કોઈ મોટું પાપ કે ભૂલ નથી, તેને તમે માત્ર એક ચૂક કહી શકો છો.

ડિમ્પલ કાપડિયાએ નિયમનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું 

ડિમ્પલ કાપડિયાએ જ્યારે નંદીના કાનમાં પોતાની મનોકામના કહી ત્યારે તેમણે આ નિયમનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. નંદીના કાનમાં પોતાની વાત કહેતી વખતે તેમણે નંદીનો બીજો કાન બંધ કરી દીધો હતો. જણાવી દઈએ કે અક્ષય પહેલા પણ અહીં પરિવાર સાથે ઘણી વખત આવીને દર્શન કરી ચૂક્યો છે.

આ પણ વાંચો: પંચમહાલ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને, પ્રતિ કિલો સફરજન જેટલી કિંમત

નંદીના કાનમાં મનોકામના કહેવાની સાચી રીત શું છે?

દરેક શિવ મંદિરના પરિસરમાં નંદી મહારાજ ચોક્કસ હોય છે. માન્યતા છે કે જ્યારે પણ કોઈ ભક્ત નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે ત્યારે ભોલેનાથ સુધી તે જરૂર પહોંચે છે. શિવજી પોતાના ભક્તોનું સાંભળે છે અને નંદીના કાનમાં કહેલી મનોકામનાને પૂર્ણ કરે છે. પરંતુ મનોકામના કહેવાની રીત અથવા નિયમ એકદમ સાચો હોવો જોઈએ. જ્યોતિષ પંડિતો અનુસાર પોતાની ઈચ્છાપૂર્તિ માટે કોઈ શિવ મંદિરે જાઓ. મંદિરમાં સંપૂર્ણ રીતે મૌન રહો. ત્યારબાદ પહેલા શિવજીની પૂજા કરો. પછી નંદી મહારાજના કાનમાં પોતાની ઈચ્છા બોલો. પરંતુ ધ્યાન રહે કે મનોકામના કહેતી વખતે નંદીનો બીજો કાન એક હાથથી બંધ કરી લેવો જોઈએ. પોતાની મનોકામના કહેતા પહેલા ‘ઓમ નમઃ શિવાય’ બોલો. માન્યતા છે કે આવું કરવાથી તમારી મનોકામના થોડા જ દિવસોમાં નંદી ભગવાન શિવ સુધી પહોંચાડી દે છે અને તે જલ્દી જ પૂરી પણ થઈ જાય છે.



Source link

Related Articles

Back to top button