गुजरात

અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on car driver for passengers at amitnagar circle



વડોદરાઃ નડિયાદ નજીક કાર અકસ્માતમાં ૧૦ મુસાફરોના મોત નીજપવાના બનેલા બનાવ બાદ પોલીસ દ્વારા અમિતનગર સર્કલ પાસે પેસેન્જરો લઇ જતા વાહનો સામે સપાટો બોલાવ્યો હતો.પરંતુ વારંવારની કાર્યવાહી છતાં ખાનગી વાહનો દોડતા થઇ જતા હોય છે.આજે સવારે પેસેન્જર બાબતે એક કારચાલક પર હુમલો થતાં ગુનો નોંધાયો છે.

અમિત નગર સર્કલ પાસે થોડા સમય પહેલાં સ્કૂલની એક વિદ્યાર્થિનીને એસટી બસે અડફેટમાં લેતાં તેનું મોત થયું હતું.ત્યારબાદ લોકોમાં રોષ ફેલાતાં બસ સ્ટેન્ડ બંધ કરાવી દેવાયું હતું.પરંતુ પેસેન્જરોની જોખમી મુસાફરી કરાવતા ખાનગી વાહનોને આજ સુધી કોઇ અડચણ પડતી નથી.

ન્યુ વીઆઇપી રોડપર ખોડિયારનગરમાં રહેતા હરિશ ગઢવીએ પોલીસને કહ્યું છે કે,આજે સવારે હું કાર લઇને પેસેન્જરોને બેસાડવા ઉભો હતો ત્યારે રામસિંગ સરદાર,જાલમસિંગ સરદાર અને મહેશસિંગ સરદારે પેસેન્જરો બાબતે તકરાર કરી પાઇપ વડે માથામાં હુમલો કર્યો હતો.જેથી હરણી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

આમ,હજી પણ પેસેન્જરોની જોખમી હેરાફેરી માટે ખાનગી વાહનોનો ખડકલો જામતો હોવાથી પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે.



Source link

Related Articles

Back to top button